________________
બોધપાઠ-૧૮
0 અન્યત્વ ભાવના છે
ನನನನನನನನನನನನನನನನನನನ
વૈરાગ્ય દૃઢ થવા માટે માનવ જીવે અન્યત્વભાવનાનું ચિંતવવું આવશ્યક છે. અન્યત્વ અર્થાત્ સ્વ-દ્રવ્યથી ભિન્ન, અન્ય દ્રવ્ય, જેમાં જડ-ચેતન બન્ને સમાય છે. સ્વ-દ્રવ્ય તે સ્વયં પોતેજ આત્મતત્ત્વ અને એ સિવાય જે-જે પદાર્થોનો સંયોગ અનુભવાય છે તે સર્વ અન્ય છે, સર્વકાળે તે અન્ય જ છે, ક્યારેય તે પોતાના થવાનાં નથી, આવા સર્વે અન્ય પદાર્થો ક્યારેય મારા આત્માનાં) સુખ-દુ:ખનું કારણ બન્યા નથી કે બનનાર પણ નથી. તેવો નિશ્ચય કરવામાં આવે તો કોઈ પણ પર દ્રવ્ય પ્રત્યે રાગ-મોહ થતો નથી કે દ્વેષ પણ થતો નથી અને દીર્ઘ કાળના આવા અભ્યાસથી જીવને નિર્મોહી થઈને સ્વ-સ્વરૂપમાં સ્થિતિ કરવાનું સરળ બને છે.
આમ સર્વ પર પદાર્થો પ્રત્યેની તેની દૃષ્ટિ-વિચારધારા બદલાયાથી, પર પદાર્થોનાં સંયોગમાં રહ્યા છતાં તે પરપદાર્થો પ્રત્યે ઉપેક્ષા-ઉદાસીનતા રહ્યા કરે છે. પરિણામે મોહભાવથી થતી કર્મ બંધની સ્થિતિથી બચી જવાય છે અને વૈરાગ્ય દૃઢ થતો જાય છે.
Alaus euolx # 60 BRERA