________________
પડ્યાથી જ મોક્ષ છે. વર્તમાનમાં જે સુખ-દુઃખ વેદાય છે તેનું કારણ મારા જ પૂર્વકર્મ છે જે મેં એકલાએ જ બાંધ્યા છે, માટે મારે એકલાએ જ તેનું ફળ ભોગવવાનું છે. કોઈ તેમાં ભાગ પડાવે તેવું અનુભવમાં આવતું નથી.
શરીરમાં મહારોગ-વ્યાધિ પ્રગટ થાય છે ત્યારે ગમે તેટલા નિકટનાં સગા, સ્નેહી પણ તે વ્યાધિ પોતે લઈ શકતા નથી. આ પ્રકારે એકત્વ ભાવના ભાવતા-ભાવતા જીવનો વૈરાગ્ય ભાવ દૃઢ થતો જાય છે અને આવો જીવાત્મા વીતરાગી દશા તરફ વળતો જાય છે અને પૂર્ણ વીતરાગી થઈને મોક્ષ પદસિદ્ધપદને પામે છે.
પરપદાર્થોને કેવળ ૫૨ જાણીને તે પ્રત્યેની આસક્તિ છુટવા માટે આ એકત્વ ભાવના બહું ઉપકારી થાય છે. સાધકે નિત્ય આ ભાવના સ્મરણમાં લાવવી ઘટે છે.
*
ઊષણ પ્રશાબીજ * 59 parxxx48