________________
બોધપાઠ-૧૬
છે સંસાર ભાવના છે
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
સંસાર એટલે પ્રત્યેક દેહધારી જીવાત્માનું સ્થાનક. ચારે ગતિનાં જીવો : (૧) દેવ, (૨) મનુષ્ય, (૩) તિર્યંચો અને () નારકી – જ્યાં વસેલા છે તે સ્થાન સંસાર છે. બધાંજ જીવો સ્વકર્મથી બધ્ધ છે. કોઈ જ સર્વથા મુક્ત જીવ આ સંસારમાં નથી. મુક્ત આત્માઓ સિદ્ધ કહેવાય છે જેઓ સંસારથી પર છે, કર્મથી મુક્ત છે, દેહ રહિત છે.
સંસારી જીવો પૈકી આપણે મનુષ્યો અન્ય ત્રણ ગતિનાં જીવો કરતા વધુ સારી દશામાં છીએ. જેથી મનુષ્ય ધર્મપ્રવૃત્તિ કરવા સમર્થ છે. ધર્મધ્યાન કરીને સિદ્ધ પદ પ્રાપ્ત કરવા સમર્થ છે. યોગ્યતા પ્રાપ્ત કરીને યથાર્થ ધર્મપુરુષાર્થ કરીને સર્વથા મુક્તિ-મોક્ષ પામી શકે
અનાદિનાં સંસ્કાર-કુસંસ્કાર અને અબોધ દશામાં રહેલો મનુષ્ય, સંસારનાં સંયોગી, જડ-ચેતન પદાર્થોમાં સુખ શોધતો ફરે છે, પરંતુ જ્ઞાનીઓ તો કહે છે કે સંસારમાં સુખ છે જ નહીં. જે મનુષ્ય આ બોધ ગ્રહણ કરીને,
ઇAિZA પ્રશાબીજ • 56 bookઇ8િ