________________
કોઈને શરીરમાં રોગ છે તે માટે વૈદ્યનું શરણ લીધું અને ઔષધઆદિ પ્રયોગ કરતા રોગ મુક્ત થવાયું ત્યારે માનવજીવ માને છે કે મને વૈદ્યથી કે ઔષધથી સારું થયું. બીજા કોઈને પણ એવો જ રોગ થતા તે જ વૈદ્યનાં શરણે જાય છે, ઔષધ આદિ પ્રયોગ, પહેલાને કર્યા તેવા જ થયા છતાં રોગ મટતો નથી, ક્યારેક મૃત્યુ પણ થાય ત્યારે શું સમજવું ? રોગનો પ્રકાર એક સરખો, વૈદ્ય પણ એજ, ઔષધ પણ એજ છતાં પરિણામ ભિન્ન કેમ ? આ સુચવે છે કે કોઈ-કોઈનાં શરણમાં જવાથી સુખ કે દુઃખ પામતો નથી કે નિવારણ કરી શકતો નથી. હા માત્ર નિમિત્તરૂપ તે જોગ, માની શકાય, બાકી કર્મફળ પ્રત્યેક જીવના પૂર્વ કર્મનાં આધારે જોવા મળે છે. મરણનાં સમયે પણ કોઈનું શરણ મળતું નથી. માત્ર પૂર્વ કર્મનાં આધારે પરિણામ વેદવું પડે છે. વિવેક રાખીને ધર્મનું, દેવ, ગુરુનું સ્મરણ ચિંતન વડે શુભભાવમાં રહેવું યોગ્ય છે.
Alaus euolex 55 BRERA