________________
બોધપાઠ-૧૫
0 અશરણ ભાવના છે
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
આપણે વિચાર્યું કે જગતનાં સર્વ જોગ-સંજોગ-સંબંધો, પદાર્થો અનિત્ય છે અને પોતે આત્મા તો નિત્ય છે. ત્યારે તે વાત સ્પષ્ટ થઈ જાય છે કે કોઈ જ પર વસ્તુ જીવાત્માને સદાય સહાય કરી શકે જ નહીં. પરિણામે જીવાત્માને કાયમી સુખ મળે તેવી સંભાવના નથી.
કોઈ પણ જીવાત્મા (દેહધારી) જ્યારે-જ્યારે દુઃખનું વેદન કરે છે ત્યારે એ દુઃખથી બચવા માટે અન્ય જડચેતન પદાર્થનું શરણું શોધે છે અને અલ્પ સમય માટે તેને ક્યારેક દુઃખની નિવૃત્તિ પણ વેદાય છે, પરંતુ આમ થવું અનિશ્ચિત છે, મળે પણ ખરું ને અને ન પણ મળે. આવો અનુભવ સર્વને થતો હોય છે. તેનું કારણ જ્ઞાનીઓ કહે છે કે સર્વ-જીવને સુખ-દુઃખ (શાતાઅશાતા)નું કારણ પ્રત્યેક જીવના પૂર્વ કર્મ અનુસાર રહેલું છે. તેને કોઈ બાહ્ય (અન્ય) પદાર્થનાં શરણથી સુખ કે દુઃખ પ્રાપ્ત થતું નથી, પરંતુ કર્મ-ઉદયમાં આવે છે તેના આધારે પ્રાપ્ત થાય છે, વેદન થાય છે.
Alaus meuonx 54 BRERA