________________
બોધપાઠ-૧૪
છે. અનિત્ય ભાવના છે
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
સદાચારનાં ચારે અંગો : મૈત્રી, પ્રમોદ, કરણા અને માધ્યસ્થતા – જે મનુષ્યને સ્વભાવરૂપ, સહજભાવરૂપ થઈ જાય છે, તે સંસારમાં સજ્જન, શ્રેષ્ઠમાનવ મનાય છે. તેને યશ, માન, કીર્તિ પ્રાપ્ત થાય છે. આવો મનુષ્ય સાધના (ધર્મ પુરુષાર્થ) માટેની પુરી યોગ્યતા ધરાવે છે અને તે ધર્મ પુરુષાર્થ કરી આત્મિક વિકાસ કરતો મોક્ષ પદ પ્રાપ્ત કરીને સર્વકાળને વિષે પરિભ્રમણથી, જન્મ-મરણથી મુક્ત થઈ શકે છે. પ્રાથમિક યોગ્યતા સદાચાર છે, જેની પ્રાપ્તિ થઈ ચુકી છે, હવે ધર્મપુરુષાર્થનું સ્વરૂપ વિચારીએ. - ધર્મપુરુષાર્થ અર્થાત્ મોક્ષપુરુષાર્થની શરૂઆત વૈરાગ્યથી થાય છે. વૈરાગ્ય એટલે રાગ-મોહ રહિત થઈને જીવન જીવવું તે. મનુષ્ય પ્રાણી સંયોગો અને સંબંધોનાં જગતમાં જીવે છે. પૂર્વ કર્મ અનુસાર ઇષ્ટ-અનિષ્ટ સંયોગો થતા રહે છે, તો વળી સંયોગનો કાળ પૂરો થતા વિયોગ પણ થાય. સંબંધો પણ કર્મ અનુસાર બંધાય છે, છૂટે છે. આ પ્રક્રિયા કુદરતનાં ક્રમ અનુસાર ખૂબજ
ઇAિZA પ્રશાબીજ •1 bookઇ8િ