________________
બોધપાઠ-૧૩
ચારભાવનાનો પરમાર્થ
મહત્પુરુષોએ મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થતાને સદાચારનાં અંગ કહ્યાં છે અને સદાચારને ધર્મ પામવા માટેનો મહાન ગુણ અને અનિવાર્ય આવશ્યકતા બતાવી છે.
પ્રત્યેક ધર્મનું અંતિમ લક્ષ મોક્ષ છે – મુક્તિ છે સર્વથા મુક્તિ. મોક્ષ માટે જે પુરુષાર્થ છે તે ધર્મ છે. મનુષ્યભવમાં જ આવો પુરુષાર્થ થઈ શકે છે, અન્ય ગતિ-યોનિમાં સંભવ નથી. પ્રત્યેક ધર્મી મનુષ્યને મોક્ષની ઇચ્છા હોવી તે સ્વાભાવિક છે. મોક્ષની પ્રાપ્તિ માટે સત્પુરુષાર્થ અનિવાર્ય છે. માત્ર કોઈનાં આશીર્વાદથી કે ચમત્કારથી મોક્ષ મળતો નથી. મોક્ષ પ્રાપ્તિ માટે જે પુરુષાર્થ કરે છે તે સાધક છે. પુરુષાર્થ તે સાધના છે અને પરિણામ તે સિદ્ધિ
છે.
=
સત્પુરુષાર્થ થવા માટે સાધકને કોઈ સત્પુરુષનો જોગ બનવો જરૂરી છે. સત્પુરુષનો જોગ થવા માટે સાધકને સત્પુરુષનું ઓળખાણ થવું જોઈએ.
ØKK પ્રશાબીજ * 48 Bacara:48