________________
સહાય કરે છે. પાંડવોનાં પક્ષે સ્વયં જોડાયા, તો સામા પક્ષે કૌરવોને પોતાનું સમસ્ત સૈન્ય અને યુદ્ધનાં સાધનો આપે છે. પોતે પ્રતિજ્ઞા પણ કરે છે કે પાંડવોને યુદ્ધમાં માત્ર માર્ગદર્શન આપશે, શસ્ત્રધારણ કરી યુદ્ધ નહીં કરે. આમ કોઈ પક્ષે પોતે પક્ષપાત ન કરતા, સર્વથા માધ્યસ્થભાવે, મહાભારતનાં મહાયુદ્ધનાં કેવળ સાક્ષી બની રહ્યા. શ્રીકૃષ્ણ નિર્બળ નથી, કંસ જેવા બળવાન, સમર્થ રાજાને પણ ન્યાય ખાતર યુદ્ધમાં માર્યા છે. આ માધ્યસ્થતાનો ભાવ છે. બહુ મોટો ગુણ છે, ઘણાં દોષથી બચવાનું ઉત્તમ સાધન છે. પરમાર્થ માર્ગમાં સાધક-મુમુક્ષુને આવો ગુણ અનિવાર્ય સમજવો જોઈએ. પોતાનાં સ્વભાવમાં ટકવામાં અને વિભાવથી બચવામાં આ ગુણ ખૂબજ ઉપકારી માનવો ઘટે છે. ૫૨મ કૃપાળુ શ્રીમદ્ભુએ સરળતા અને મધ્યસ્થતાને ઉત્તમ પાત્રતા કહી છે.
*
84KG પ્રશાબીજ + 47 Basava