________________
ી
બોધપાઠ-૧૨
માધ્યસ્થભાવ
સદાચાર કે જે ધર્મનું મૂળ છે, તે સદાચારનું ચોથું અંગ મહત્પુરુષોએ માધ્યસ્થ ભાવના કહેલું છે. પ્રત્યેક મનુષ્ય ભિન્ન પ્રકૃતિવાળો જણાય છે. એક જ પદાર્થને જોવાની દરેકની દૃષ્ટિ ભિન્ન હોય છે. વળી સમજવાની શક્તિ પણ એક સરખી હોતી નથી. વિવેક પણ વધુ-ઓછો જોવામાં આવે છે. આવા કારણથી પરસ્પર વિરોધ આવતો રહે છે. આવા સમયે જો વિવેક બન્ને પક્ષે ચૂકી જવાય તો ઘર્ષણ થાય, વે૨ વૃત્તિ થાય અને કલેશ થતો રહે, જે સહજીવનમાં વિક્ષેપરૂપ થાય છે. વળી મનુષ્યનો અહંભાવ વચ્ચે આવતા સત્યને સમજવા છતાં, સ્વીકારવા તૈયાર ન હોય, આવા અનુભવો પ્રત્યેક મનુષ્યને જીવનમાં અવારનવાર થતા હોય છે. આ પરિસ્થિતિમાં સાચો વિવેક શું ? મોટા પુરુષોએ તેનો જવાબ આપ્યો છે માધ્યસ્થતા.
આપણે ભલે સાચા હોઈએ અને સામેનો મનુષ્ય તેનો વિરોધ અકારણ કરી રહ્યો હોય, સમજવા તૈયાર જ ન હોય અને નિરૂપાયતા જણાય ત્યારે
ઊષણ પ્રશાબીજ * 45 parano