________________
પૂર્વે થયા તે ઋષિમુનિઓ, કેવળી ભગવંતો, તિર્થંકરો બધાં જ નિષ્કામ કરણા કરી ગયા છે અને પરંપરાને અનુસરીને વર્તમાનમાં પણ ધર્મગુરુઓ આ પ્રકારે માનવ જીવોને માર્ગદર્શન આપી રહ્યા છે ત્યાં પણ તેમની કરુણા જ છે.
વીતરાગ પ્રભુએ માનવ જીવોને એક વિશેષ અને સૂક્ષ્મ કરુણાનું સ્વરૂપ પણ બોધ્યું છે તે છે – સ્વદયા-સ્વ પ્રત્યે કરુણા થવી તે. માનવજીવે એ વાત વિચારવાની છે કે અજ્ઞાનવશ પોતે પોતાના આત્માને અનંતકાળથી પરિભ્રમણમાં રોકી રાખ્યો છે, તેના પ્રત્યે કરુણાભાવ પ્રગટ કરી આ આત્મા મુક્ત થાય તે મોટી કરુણા છે.
ઇAિZA પ્રશાબીજ • 44 backઇ8િ