________________
બોધપાઠ-૧૧
0
કરુણા
છે
સદાચારનું ત્રીજું અંગ તે કરુણા છે. આપણે બોધપાઠ ૧૦માં વિચાર્યું તેમ પ્રત્યેક જીવની દશા ભિન્ન હોય છે. એક સાધન સંપન્ન-સુખી છે, બીજો સાધનહિન-દુઃખી છે. બન્નેનું કારણ પૂર્વનું સ્વકર્મ છે. બન્ને પ્રકારનાં માનવો અને સહજીવન અનિવાર્ય છે. એક વિભાગમાં સર્વ સુખીને બીજામાં સર્વ દુઃખી, એવું વિભાજન શક્ય નથી. સુખી જીવોને જોઈને દુઃખી જીવો ચિત્તમાં કલેશ પામતાં પણ જોવામાં આવે છે. જેનાં પરિણામે પરસ્પર વૈર-ભાવ અને દ્વેષભાવ થઈ આવે છે, ત્યારે સમાજજીવન કલુષિત બને છે. આવી અવસ્થા કોઈને લાભદાયક નથી.
પ્રજ્ઞાવાન-વિવેકી મનુષ્યો આવી કલુષિતતાના નિવારણ માટે કરુણાભાવનો બોધ આપે છે. જેની પાસે વધુ સાધન-સંપત્તિ છે, તે અલ્પ સાધનવાળા મનુષ્યો પ્રત્યે દયા-કરુણાભાવ રાખી તેને પ્રસંગોપાત સહાય કરે તે જરૂરી બને છે. આમ કરવાથી સહજીવન સરળ-સુગમ બને છે. કોઈ ભુખ્યો છે, કોઈ નિર્ધન
ની&િઇટને પ્રશાબીજ • 42 base