________________
પોતાના સુખ-સાધનમાં મિત્રનો પુરો હક્ક માને તે મિત્ર. સહાય કરીને તુરત સહાય કર્યાનું ભૂલી જાય તે મિત્ર. ભવિષ્યમાં સહાય કર્યાનું મિત્રને યાદ પણ ન કરાવે તે મિત્ર. લોકોમાં વાહવાહ કહેવાય તેવો સ્વપ્નમાં પણ વિચાર ન આવે તે મિત્ર.
આવી મૈત્રી જગતનાં સર્વ જીવાત્મા પ્રત્યે રહે તે મૈત્રીભાવ. જગતનાં બધા જીવોને ભલે સહાય ન કરી શકીએ, પરંતુ તેમનાં સુખની-કલ્યાણની ભાવના મનોમન રહે, પ્રભુ પાસે નિત્ય સર્વ જીવોનાં સુખની-કલ્યાણની ભાવનાં રાખી શકાય છે તે પણ ઉત્તમ ગુણ છે, આવશ્યક ગુણ છે.
*
ICKG પ્રશાબીજ * 35 paravano