________________
બોધપાઠ-૧૦૩
0 શ્રીમદ્જીનો ઉપદેશ-૧૧ 0
0 0 0 0 0 0 0 0
0 0 0 0 = = 9999
વાડામાં કલ્યાણ નથી, અજ્ઞાનીનાં વાડા હોય.”
ધર્મને નામે મત, ગચ્છ, સંપ્રદાયો એક પ્રકારે વાડાબંધી છે. ધર્મ જીવાત્માને મુક્ત કરાવે છે, આવા વાડા જીવાત્માને બંધન કરે છે. વનનો કેશરી સિંહ વાડામાં ન બંધાય, ઘેટાં-બકરાં સહેલાઈથી બંધાય છે. તેમ અજ્ઞાની જીવો સહેજે બંધનમાં આવે છે. જ્ઞાનીને કોઈ બંધન હોતું નથી. વાડામાં પુરવાનું કામ ભરવાડનું છે, ભગવાનનું નથી. વાડાબંધીનાં પ્રણેતાંઓ આ વાત ક્યારે સમજશે ? વળી આવા પ્રણેતાઓ માત્ર બીજાને જ બાંધતા નથી, પણ આવું કામ કરી પોતે મહાબંધનનું બીજ વાવે છે.
મહાવીર ભગવાનના ગર્ભનું હરણ થયું હશે કે કેમ ? એવા વિકલ્પનું શું કામ છે ? ભગવાન ગમે ત્યાંથી આવ્યા પણ સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્ર હતા કે નહીં ? આપણે તો એનું કામ છે.”
ઇakબે પ્રજ્ઞાબીજ - 286 views