________________
પિતા-પુત્રાદિ સંબંધો સંસારનાં છે. દેહને આધારે છે. વળી કોઈ સંબંધ સાચો નથી કે નિત્ય પણ નથી. પૂર્વે જે જીવ સાથે પિતા-પુત્રનો સંબંધ હતો તે આ ભવે મિત્ર-શત્રુ રૂપે પણ હોઈ શકે છે, નોકર-શેઠરૂપે પણ હોઈ શકે કંઈ જ નક્કી નથી. માટે જ્ઞાની આવા સંબંધોને કાલ્પનિક કહે છે. માત્ર કલ્પના
“સમકિત થયું હોય તો દેહાત્મબુદ્ધિ ટળે.”
દેહમાં પોતાપણાંની માન્યતા રાખી વર્તે તે સમકિતનું લક્ષણ નથી. સમકિતનું લક્ષણ ભેદ-જ્ઞાનની પ્રાપ્તિ છે. દેહને દેહરૂપે માને, આત્માને આત્મારૂપે માને-પોતાપણે માને તે સમકિતનો મર્મ છે. સર્વ સંયોગી પદાર્થો પ્રત્યે તેનો આવો જ નિર્ણય હોય છે. આમ નિર્ણય થયાથી પરપદાર્થ પ્રત્યે મોહ થાય નહીં, અને તેનાં વિયોગે દ્વેષ કે આર્તધ્યાન-રૌદ્રધ્યાન પણ ન થાય. આવી દશા આવ્યા પછી જ સાચો મોક્ષ પુરુષાર્થ થઈ શકે છે, જેમાં દીર્ઘકાળ પર્યત એકાંતવાસ, અસંગતા, ઉદાસીનતા અને સ્વસ્વરૂપ પ્રત્યે વર્ધમાન થતી રુચિ જોવામાં આવે છે. અનુભવમાં પણ આવે છે.
%e0%ઇ પ્રશાબીજ • 285
કિટિ9િ