SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ પિતા-પુત્રાદિ સંબંધો સંસારનાં છે. દેહને આધારે છે. વળી કોઈ સંબંધ સાચો નથી કે નિત્ય પણ નથી. પૂર્વે જે જીવ સાથે પિતા-પુત્રનો સંબંધ હતો તે આ ભવે મિત્ર-શત્રુ રૂપે પણ હોઈ શકે છે, નોકર-શેઠરૂપે પણ હોઈ શકે કંઈ જ નક્કી નથી. માટે જ્ઞાની આવા સંબંધોને કાલ્પનિક કહે છે. માત્ર કલ્પના “સમકિત થયું હોય તો દેહાત્મબુદ્ધિ ટળે.” દેહમાં પોતાપણાંની માન્યતા રાખી વર્તે તે સમકિતનું લક્ષણ નથી. સમકિતનું લક્ષણ ભેદ-જ્ઞાનની પ્રાપ્તિ છે. દેહને દેહરૂપે માને, આત્માને આત્મારૂપે માને-પોતાપણે માને તે સમકિતનો મર્મ છે. સર્વ સંયોગી પદાર્થો પ્રત્યે તેનો આવો જ નિર્ણય હોય છે. આમ નિર્ણય થયાથી પરપદાર્થ પ્રત્યે મોહ થાય નહીં, અને તેનાં વિયોગે દ્વેષ કે આર્તધ્યાન-રૌદ્રધ્યાન પણ ન થાય. આવી દશા આવ્યા પછી જ સાચો મોક્ષ પુરુષાર્થ થઈ શકે છે, જેમાં દીર્ઘકાળ પર્યત એકાંતવાસ, અસંગતા, ઉદાસીનતા અને સ્વસ્વરૂપ પ્રત્યે વર્ધમાન થતી રુચિ જોવામાં આવે છે. અનુભવમાં પણ આવે છે. %e0%ઇ પ્રશાબીજ • 285 કિટિ9િ
SR No.034368
Book TitlePragnabij
Original Sutra AuthorN/A
AuthorMadhubhai Parekh
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2018
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy