________________
બોધપાઠ-૧૦૨
0 શ્રીમજીનો ઉપદેશ-૧૦ છે ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
પંદરભેદે સિદ્ધ કહ્યા તેનું કારણ રાગ, દ્વેષ અને અજ્ઞાન જેનાં ગયા તેનું ગમે તે વેષે, ગમે તે જગાએ, ગમે તે લિંગ કલ્યાણ થાય જ.”
સર્વથા મુક્તદશા સર્વકાળને વિષે છે તેને સિદ્ધ કહેવાય છે. આવા સિદ્ધ માત્ર જૈન હોય તો જ થાય તેમ નથી. પરંતુ જે સર્વથા રાગ, દ્વેષ અને અજ્ઞાનથી મુક્ત થયા તે ગમે તે વેષે કે દિગંબર દશાએ, અને ગમે તે લિંગે અર્થાત્ પુરુષ-સ્ત્રી-નપુંસક પણ સિદ્ધ થાય. આત્માને કોઈ લિંગ કે વસ્ત્રાદિ બાધારૂપ નથી. મુખ્ય બાધા અજ્ઞાન છે. અજ્ઞાનથી નિવૃત્ત થવા, જ્ઞાનની આરાધના કરવી પડે. જ્ઞાન માટે જ્ઞાનીનો આશ્રય અને આજ્ઞાપાલન અનિવાર્ય છે. પ્રત્યક્ષ જ્ઞાની મળે તો ઉત્તમ, ન મળે તો સાસ્ત્રો પણ ઉપકારી થાય છે. વ્રત, તપ, જપ આદિ સેવીને પુણ્ય થશે, તે નહીં થાય તો પણ ચાલશે પણ અંતરંગ દોષ નહીં જાય તો મુક્તિ નહીં જ મળે.
આત્માને પુત્ર પણ ન હોય અને પિતા પણ ન હોય. જે આવી પિતાપુત્રની) કલ્પનાને સાચું માની બેઠા છે તે મિથ્યાત છે.”
ની&િઇટને પ્રશાબીજ 24 base