________________
લોકોમાં મિથ્યા માન્યતા છે કે મોક્ષ કઠણ છે. વળી ધર્મગુરુઓ પણ આવી વાત કરતા જોવામાં આવે છે તે કેટલું યોગ્ય છે ? આવી વાતો સાંભળી ધર્મમાં રૂચિવાળા જીવો પણ મંદપુરુષાર્થી થાય છે. મોક્ષ તો જીવનો સહજ સ્વભાવ છે. જ્યારે સંસાર તો કેવળ અસહજ એવા વિભાવથી જ સેવવાનું બને છે. આવી અસહજ-કઠણ ક્રિયા જીવાત્મા સતત કરી શકે છે, તો મોક્ષની ક્રિયા આકરી મનાય ?
કોઈનું દીધું દેવાતું નથી; કોઈનું લીધું લેવાતું નથી, જીવ ફોકટ કલ્પના કરી રઝળે છે.’’
કર્મનાં સિદ્ધાંત સમજાય તો જ આ વાત સમજાશે. કોઈ જીવ બીજા જીવને કંઈ આપવાની ઇચ્છા કરે પણ જેને આપવું છે તેનું પ્રારબ્ધ લઈ શકે તેમ ન હોય તો લઈ શકે નહીં. તેમ કોઈનું લઈ લેવાની ઇચ્છાથી મળી શકતું પણ નથી. બધું લેવું દેવું પ્રારબ્ધને આધિન છે અને પ્રારબ્ધ પૂર્વ કર્મનું પરિણામ માત્ર છે. જીવાત્મા અજ્ઞાનવશ આ વાત સ્વીકારે નહીં જેથી અકળાય છે. થોડી મહેનતે વધુ મળે છે એમ પણ બને છે અને તનતોડ મહેનતે થોડું જ મળે છે, ત્યાં પ્રારબ્ધ નથી ? આપણું સાધન-ધન કોઈ ચોરી જાય તેમ બનતું નથી, પ્રારબ્ધ અનુસાર તેનો વિયોગ કોઈ પણ પ્રકારે થાય. ચોરી થાય, લુંટાય જાય, અકસ્માત થાય કે દવા વગેરેમાં જાય આવું જ પ્રાપ્ત થવા સંબંધમાં પણ પ્રારબ્ધ જ કારણરૂપ છે તેમ સમજવું ઘટે.
*
8488 પ્રશાબીજ * 283 Basavaro