________________
બોધપાઠ-૧૦૧
0 શ્રીમદ્જીનો ઉપદેશ-૯ ૦
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
વૃત્તિને ગમે તેમ કરી રોકવી; જ્ઞાનવિચારથી રોકવી; લોકલાજથી રોકવી, ઉપયોગથી રોકવી; ગમે તેમ કરીને પણ વૃત્તિને રોકવી. મુમુક્ષુઓએ કોઈ પદાર્થ વિના ચાલે નહીં એવું રાખવું નહીં.”
સમયે-સમયે ચિત્તમાં નવી નવી વૃત્તિ(ઇચ્છા) ઉક્યા જ કરે છે તે સૌનો અનુભવ છે. વૃત્તિ પ્રવૃત્તિનું કારણ છે, વૃત્તિ વિના પ્રવૃત્તિ થતી નથી. વૃત્તિથી ભાવકર્મ બંધાય છે જ્યારે પ્રવૃત્તિથી દ્રવ્ય કર્મ અને ભાવકર્મ બંને બંધાય છે માટે કોઈપણ પ્રકારે વૃત્તિઓને વશમાં રાખવાથી કર્મબંધ થોડો થશે. વૃત્તિ થાય તો તરત જ સાવધાન થઈ તેને છોડવાનું કરવું તે સાધકનું કર્તવ્ય છે - ધર્મ પુરુષાર્થ છે.
બે ઘડી પુરુષાર્થ કરે, તો કેવળ જ્ઞાન થાય એમ કહ્યું છે. રેલ્વે આદિ ગમે તેવો પુરુષાર્થ કરે, તો પણ બે ઘડીમાં તૈયાર થાય નહીં, તો પછી કેવળજ્ઞાન કેટલું સુલભ છે તે વિચારો.”
ઇAિZA પ્રશાબીજ 282 backઇ8િ