________________
જેઓ માનવપણું સમજે છે, તેઓ સંસારશોકને તરી જાય છે.” આ વાત સહજ સમજાય છે. કોઈ પણ પદાર્થની ઓળખ તેનાં ગુણોથી-લક્ષણથી જ થાય છે તેમ માનવ સહજ ગુણોથી જ મારું માનવપણું સિદ્ધ થઈ શકે.
માનવપણું સિદ્ધ થવા માટે સદાચાર પાયાની આવશ્યકતા જણાય છે. સમસ્ત જીવયોનિમાં માનવજીવ શ્રેષ્ઠ છે તેવું સર્વ જ્ઞાનીઓ કહે છે. પરંતુ તેની શ્રેષ્ઠતા તેનાં આચારથી જ જાણવામાં આવે છે. આચાર એટલે અન્ય જીવો પ્રત્યેનો વ્યવહાર. આ વ્યવહાર જેટલો સ્વચ્છ, સરળ, શાતામય હોય તેટલો માનવ સદાચારી કહી શકાય. પૂર્વે થયા છે તે શ્રી તીર્થકરો, અવતારી, પુરુષો, ઋષિ-મુનિઓ વગેરેનો જીવન વ્યવહાર સદાચારથી ભરપુર જોવા મળે
સમસ્ત જીવયોનિમાં ભિન્ન-ભિન્ન પ્રકારનાં અનેકાનેક જીવો છે તે પૈકી માનવ જીવનો એક પ્રકાર છે. આ પૃથ્વી ઉપર માનવજીવો અને તિર્યંચ (પશુપંખી વગેરે જીવો વસે છે. જેમાં તિર્યંચ જીવો અતિદુઃખી અને પરાધીન છે, માનવ જીવો તેની અપેક્ષાએ સુખી છે. સર્વ માનવ જીવોનાં જીવનમાં તિર્યંચ જીવોનો નાનો-મોટો ઉપકાર સતત રહેલો છે. આહાર, પાણી, ઔષધ વગેરે પ્રાપ્ત થવામાં તિર્યંચ જીવો ઉપકારી છે તે લક્ષમાં રાખીને તે તિર્યંચો પ્રત્યે માનવ જીવે સદૃવહેવાર રાખવો તે કર્તવ્ય છે. તે પરાધીન જીવોની યથાશક્તિ સાર-સંભાળ લેવી, આશ્રય આપવો, તેનાં આહાર-પાણીની જોગવાઈ કરવી તે માનવ પ્રાણીનું કર્તવ્ય છે – આ સદાચાર છે. ખેતીનાં કામમાં ખેડુતને બળદ સહાયક છે તે સખત પરિશ્રમ કરીને માનવજીવોને આહાપ્રાપ્તિમાં સહાય કરે છે તો ખેડૂત પણ બળદની સારી રીતે સંભાળ રાખે છે. આ પરસ્પરનો સર્વહેવાર તે સદાચાર છે.
માનવજીવો પણ પૃથ્વી ઉપર સમુહ જીવન જીવે છે. તેમનો પરસ્પરનો સદ્દવહેવાર અનિવાર્ય છે. પરસ્પરની સાર-સંભાળ, હુંફ, મુસીબતનાં સમયે મદદ વગેરે પ્રત્યે સભાનપણે કર્તવ્ય નિભાવવું તે સદાચાર છે.
%e0%ઇ પ્રશબીજ 28 દિતિદિષ્ટિ