________________
બોધપાઠ-૬
કર્તવ્ય
છે
9099 9999999 0 0 0 0 0 0
0
વર્તમાન આ માનવ જીવન અતિ વેગે વ્યતિત થઈ રહ્યું છે. આયુકાળ પૂર્ણતાની નિકટ આવી ગયાનું ભાસે છે. પૂર્વે જે અવસ્થાઓ વેદી છે તે ફરી વેદવાનું ન થાય તેવો સંકલ્પ થઈ આવે છે. પરમ કૃપાળુદેવ, શ્રીમદ્જીનાં વચનામૃત તે પ્રભુનો અક્ષરદેહ છે તે જોતા પ્રભુ પરોક્ષ નહીં પણ મને પ્રત્યક્ષ ભાસે છે. પ્રભુ આપે આપવામાં મણાં રાખી નથી. આ જીવે પ્રમાદ સેવી ને પ્રાપ્તિમાં કચાશ રાખી છે. મારું કર્તવ્ય આપ પ્રભુએ અતિ રૂડી રીતે, નિષ્કામ કરુણા કરીને બોધ્યું છે. મારે હવે નિશ્ચય છે કે આપનો બોધ રૂડી રીતે અવધારવો છે.
સર્વ પ્રથમ મને મારી યોગ્યતાની ઘણી કચાશ લક્ષમાં આવે છે. જેથી પ્રથમ કર્તવ્ય યોગ્યતા પ્રાપ્ત કરવાનું જણાય છે. યોગ્યતા માટે હું, માનવ છું તો મારામાં માનવ સહજ ગુણો હોવા અનિવાર્ય છે, તેવો લક્ષ રહે છે. આપ પ્રભુએ મોક્ષમાળા-બાલાવબોધમાં પાઠ ૪ માં લખ્યું છે :
ની&િઇટને પ્રશાબીજ 27 base