________________
ખરું કે મારા ઉપર ઇન્દ્ર જેવા મોટા દેવોની સેવા કરવાની જવાબદારી હતી જે મને ગમતી નહોતી પણ ઉપાય નહોતો, જેનાં કારણે અંતરદાહ રહેતો
હતો.
વળી સ્મરણમાં આવે છે, વર્તમાનમાં જેવો હું માનવ તરીકે ઓળખાવ છું, તેવી અવસ્થા પૂર્વે પણ ઘણી વાર સંપ્રાપ્ત થઈ છે. બીજી બધી અવસ્થા કરતા, પ્રમાણમાં આ અવસ્થાથી સંતોષ રહેતો. જો કે આ અવસ્થામાં પણ પૂર્ણ સુખ તો અનુભવાયું નથી જ. અંધાપો, બહેરાશ, મુંગાપો, લુલો, પાંગળો, અતિ કૃશ, અતિ ભારે, અતિ રોગીષ્ટ જેવી દેહ અવસ્થા વેઠી છે. બીજા મારા જેવા માનવો સાથે રાગ, દ્વેષ, કલેશ થયા કરતા. લડાઈ-ઝઘડાં, ચોરી, ઘાત વગેરે પણ થતા જ રહેતા.
પ્રભુ, આ બધી અવસ્થા પ્રાપ્ત થવાનું કારણ શું ? આવી અવસ્થાની ઇચ્છા તો કરી હોય તેવું યાદ આવતું નથી. આ બધું સ્મરણમાં આવતા બહુ સંતાપ થઈ આવે છે. આપનાં શરણમાં આવ્યો છું. સમાધાન કરશો ?
ની&િઇટને પ્રશાબીજ 26 base