________________
પ્રત્યેક દેહધારી મનુષ્યને તિર્યંચ કરતા વિશેષ સાધનો કુદરતે આપ્યા છે. જેવા કે અંગ, ઉપાંગ, ઇન્દ્રીયો, વિચાર, વિવેક, બુદ્ધિ, યુક્તિ વગેરે. આ જોતા તિર્યંચ કરતા માનવ પ્રાણી શ્રેષ્ઠ કહેવાય છે. જો કે સાચી શ્રેષ્ઠતા તો તેના સદ્ વ્યવહારમાં રહેલી છે. વળી અસદ્ વ્યવહાર થકી પરસ્પર વૈરઝેર, હિંસા, ચોરી, જુઠ્ઠ, વ્યાભિચાર જેવા અનિષ્ઠો સહેવા પડે છે જે ભારે પીડા આપનારા છે તેવો આપણો સૌનો અનુભવ છે.
જીવ સાથે અજીવ પદાર્થો પણ આ પૃથ્વી ઉપર છે તે પણ જીવન જીવવા-શાતારૂપ જીવવામાં ઉપકારી છે, તેનો લક્ષ પણ થવો ઘટે. અજીવ પદાર્થોનો ઉપભોગ-ઉપયોગ પણ વિવેકપૂર્વક કરવામાં શ્રેય છે. આવો વિવેક પણ સદાચારનું અંગ છે. પ્રત્યેક જીવ-અજીવમાં પરમાત્માનો વાસ છે, તેમ માનીને વિવેકપૂર્વક જીવન વ્યતિત કરવું તે ધર્મ છે.
જે રાહથી સંસારમળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચાર તું સેવજે.” આ પરમકૃપાળુદેવનો બોધ છે.
ઇAિZA પ્રશાબીજ • 29 bookઇ8િ