________________
બોધપાઠ-૯૭
0 શ્રીમદજીનો ઉપદેશ-૫ o
ನನನನನನನನನನನನನನನನನನನ
કેટલાંક જીવો મોહગર્ભિત વૈરાગ્યથી અને કેટલાંક દુઃખગર્ભિત વૈરાગ્યથી દીક્ષા લે છે.”
માનવજીવ પૂર્વનાં અશુભ કર્મનાં પરિણામે ગરીબીમાં હોય અને તે વેદવા માટે જોઈતું બળ ન હોય તેવા કારણે અને કેટલાંક સારું ખાવાનું મળે, પહેરવાનું મળે, રહેવાનું મળે, લોકોમાં માન મળે વગેરે હેતુએ દીક્ષા લે તો ત્યાં વૈરાગ્ય નથી જેથી તે દીક્ષા, તે ત્યાગ, તે સંયમ ઉપકારી થાય નહીં. પરંતુ જે જીવ સર્બોધ પામી વૈરાગ્ય ભાવમાં આવીને દીક્ષા લે તો ઉપકારી થાય છે. આ પ્રકારનો વૈરાગ્ય જ્ઞાનગર્ભિત વૈરાગ્ય છે, સાચો વૈરાગ્ય છે. પ્રથમનાં બે પ્રકારવાળા પણ આગળ જતા જ્ઞાન પામીને સાચો વૈરાગ્ય પામે તો તે પણ તેને ઉપકારી થઈ શકે છે. એકાંતે આ વાત નથી.
“જગતને બતાવવા જે કંઈ કરતો નથી, તેને જ સત્સંગ ફળીભૂત થાય છે.”
ઇakબે પ્રજ્ઞાબીજ •274 views