________________
મારા
રાગ, દ્વેષ થતા નથી, સમભાવે વેદીને નિવૃત્ત થાય છે. હર્ષ, શોકનું બળવાન કારણ હોય ત્યાં કદાચિત હર્ષ, શોક થઈ આવે તો તુરત જ્ઞાન વિચારે પાછો વળી જાય. આમ કર્યાથી પૂર્વ કર્મની નિર્જરા થાય છે. નવા બાંધતો નથી.
સ્પષ્ટ પ્રીતિથી સંસાર કરવાની ઇચ્છા થતી હોય તો સમજવું કે જ્ઞાનીપુરુષને જોયા નથી.”
સાચા જ્ઞાનીની ઓળખ તેનો વૈરાગ્યભાવ, વીતરાગતા છે. આવા જ્ઞાનીનો જેને પરિચય થાય તેને અંગે પણ વૈરાગ્ય ભાવ આવે જ છે. આવા વૈરાગ્ય વાનને સંસાર ભોગવવાની ઇચ્છા, સ્પૃહા ન હોય. ઉદયરૂપ સંસાર ભોગવવાનું હોય છે. મુખ્યતાએ સાક્ષીભાવે રહે છે.
વ્યવહારથી તો ભોળા જીવોને પણ રાગદ્વેષ ઘટ્યા હોય; પણ પરમાર્થથી રાગદ્વેષ મોળા પડે તો કલ્યાણનો હેતુ છે.”
કેટલાંક ભોળાં, શાંત પ્રકૃતિવાળા જીવો રાગ, દ્વેષની ઓછપથી વહેવાર કરતા દેખાય છે, પણ ત્યાં એવું પણ બને કે રાગ, દ્વેષ વ્યક્ત કરી શકતા ન હોય પરંતુ અંતરમાં વેદવું થતું હોય, આના કરતા જે જ્ઞાનપૂર્વક સમતાભાવમાં રહીને વર્તે છે તે પરમાર્થહતુ કહી શકાય.
“જે જે વખતે તપશ્ચર્યા કરવી તે તે વખતે સ્વચ્છેદથી ન કરવી; અહંકારથી ન કરવી; લોકોને લીધે ન કરવી.”
ઘણું કરીને વ્રત, તપ આદિ તપશ્ચર્યા લોક દૃષ્ટિએ કરાય છે ત્યારે અહંભાવને પોષણ મળે છે. આમ કર્યાથી કર્મબંધ થાય છે. છૂટવાને બદલે બંધાવા માટે તપ થયું. આ તો અમર થવાને ઝેર પીવા જેવું થયું.
ની&િઇટને પ્રશાબીજ • 2nd base