________________
બોધપાઠ-૯૬
( શ્રીમદ્જીનો ઉપદેશ-૪ o
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
“વારંવાર બોધ સાંભળવાની ઇચ્છા રાખવા કરતાં સત્યરુષનાં ચરણ સમીપ રહેવાની ઈચ્છા અને ચિંતના વિશેષ રાખવી. જે બોધ થયો છે, તે સ્મરણમાં રાખીને વિચારાય તો અત્યંત કલ્યાણકારક છે.”
સત્વરુષનો બોધ સાંભળવાનું જો કે ઉપકારી છે જ, પરંતુ માત્ર શ્રવણ કરવાથી સફળતા નથી. સાંભળ્યું હોય તેનો વિચાર, ચિંતન, મનન થાય અને તેને અનુસરે તો સફળતા છે. પ્રત્યક્ષ સત્પરુષનો યોગ હોય તો તેની સમીપ, તેમની આજ્ઞામાં રહેવું તે ત્વરાએ કલ્યાણકારી થવાનો ઉપાય છે.
જ્ઞાન તેનું નામ જે હર્ષ, શોક વખતે હાજર થાય અર્થાત્ હર્ષ, શોક થાય નહીં. સમ્યક દૃષ્ટિ હર્ષ, શોકદિ પ્રસંગમાં તદ્દન એકાકાર થાય નહીં.”
પ્રત્યેક જીવને જીવનપર્યંત હર્ષ, શોકનાં પ્રસંગ આવતા જ રહે છે. જ્ઞાનીને પણ એવા પ્રસંગ આવે છે, ત્યારે પ્રાપ્ત થયેલા જ્ઞાન ઉપયોગે વર્તતા તેને
ની&િઇટને પ્રશાબીજ • 272 base