________________
તીર્થકર ભગવાન કે જેને સર્વજ્ઞ કહેવાય છે અને ખાસ તો કેવળજ્ઞાની છે. માત્ર નિરાવરણ જ્ઞાનદશા છે ત્યાં અજ્ઞાનનો અંશ પણ નથી, જેથી રાગ, દ્વેષ, રતિ, અરતિ કે અહંકારની છાયા પણ સ્પર્શતી નથી. જેથી ઉપદેશ આપતા, સ્વભાવમાં સ્થિર રહીને તે ક્રિયા થાય છે, જેથી પર ઉપયોગપણે પ્રવૃત્તિ થતી. નથી. તીર્થકર કે કેવળીની નીચેની દિશામાં કોઈ અંશે જરા તરા પણ દોષની સંભાવના છે, ત્યાં પર ઉપયોગ કહી શકાય.
જીવને સત્યરુષનો યોગ મળવો દુર્લભ છે. અપારમાર્થિક ગુરુને જો પોતાનો શિષ્ય બીજા ધર્મમાં ગચ્છમાં) જાય તો તાવ ચઢે છે. પારમાર્થિક ગુરને આ મારો શિષ્ય છે એવો ભાવ હોતો નથી.”
આ કાળમાં પુરુષનો યોગ જીવને ઘણો જ કઠણ છે. તેનાં બે કારણ છે, એક તો જીવની પાત્રતા ન હોવાથી સત્પરુષનું તેને ઓળખાણ જ થતું નથી. બીજું આ કાળમાં પુરુષનું વિદ્યમાનપણું ભાગ્યે જ હોય. સપુરુષને પણ છેવટની દશા પ્રાપ્ત કરવાની બાકી છે, તે પ્રાપ્ત થવામાં વર્તમાનકાળ ઘણો જ પ્રતિકૂળ છે, આવા મહાપુણ્યશાળી આત્મા હાલમાં ઘણું કરી સંભવે
નહીં
Lalala veleslav 271 Balance