________________
બોધપાઠ-૯૫
0 શ્રીમદજીનો ઉપદેશ-૩ છે
999999999999999999
“સર્વ વાસનાનો ક્ષય કરે તે સંન્યાસી.”
માનવજીવો મોટાભાગે સમયે સમયે, પ્રસંગે પ્રસંગે, કંઈ ને કંઈ ઇચ્છા કરતાં જ રહે છે. ઇચ્છા બળવાન થયાથી તે સ્પૃહા, વાસનાનું સ્વરૂપ લે છે. જે પદાર્થ પ્રાપ્તિની વાસના થાય તે પદાર્થની પ્રાપ્તિ થતા સુધી વાસના છૂટતી નથી. અને પ્રાપ્તિ પછી પણ બીજા-ત્રીજા પદાર્થ પ્રત્યે તેમજ કરવામાં આવે છે. અથવા વધુને વધુ માત્રામાં મેળવવાની પ્રવૃત્તિ કરવામાં આવે. આ વાસનાનો અંત જ નથી, જીવનનો અંત આવે તો પણ વાસનાનો તંતુ બીજા ભવમાં પણ કોઈ પ્રકારે જોડાય છે. સંન્યાસી = ન્યાસત્યાગ) સહિત. ઇચ્છાનો ત્યાગ એ જ સાચો સંન્યાસી છે. પદાર્થનો ત્યાગ માત્ર સન્યાસીની ઓળખ નથી.
“તીર્થકર કોઈને ઉપદેશ દે તેથી કંઈ પર ઉપયોગ કહેવાય નહીં. પર ઉપયોગ તેને કહેવાય કે જો ઉપદેશ દેતા રતિ, અરતિ, હર્ષ, અહંકાર થતા હોય.”
ની&િઇટને પ્રશાબીજ • 270 base