________________
જાણવા માટે પુરુષાર્થ કરવો જ પડે. જેમ પાણીની જરૂરિયાત છે તે માટે કુવો ખોદવાનો પુરુષાર્થ કરવામાં આવે, પછી જ તેમાં પાણી છે કે નહીં, કેટલું છે, કેવું છે તે જણાય છે. પાણીની પ્રાપ્તિ પ્રારબ્ધ અનુસાર થઈ, પણ પુરુષાર્થ વિના કેમ થાત ? ખેડુતને પ્રારબ્ધની ખબર નથી, ખેતર ખેડે છે, બીજ વાવે છે, તે પુરુષાર્થ કર્યાથી જે ઉપજ થાય છે તે પ્રારબ્ધ અનુસાર થોડી કે ઝાઝી. થાય છે. માત્ર પ્રારબ્ધ માન્યાથી કંઈ જ હાથમાં ન આવે. મોક્ષ પુરુષાર્થ કર્યાથી પ્રારબ્ધ અનુસાર આ ભવે, આવતા ભવે કે પાંચ પંદર ભવે મોક્ષ મળે. બધાંને એક જ ભવમાં ન મળે.
બધાં જ પૂર્વનાં જ્ઞાનીઓએ આ માટે વિવેક રાખવાનો બોધ કર્યો છે. પુરુષાર્થને પ્રારબ્ધનું બળ જેટલા પ્રમાણમાં મળે છે તેટલા પ્રમાણમાં સફળપણું વહેલું કે મોડું છે જ. વળી પ્રારબ્ધ પણ પૂર્વે કરેલાં કર્મનું ફળ જ છે ને ? તો ત્યાં પણ પુરુષાર્થથી જે કર્મ બંધાયું - શુભ કે અશુભ તેનું જ ફળ વર્તમાનમાં પુરુષાર્થ કર્યાના જે તે પ્રકારે મળી શકે છે. બંને અન્યોન્ય કારણરૂપ છે તેમ સમજવું ઘટે છે.
%e0%ઇ પ્રશાબીજ • 267
ઇતિદિષ્ટિ