________________
બોધપાઠ-૯૪
0 શ્રીમદજીનો ઉપદેશ-૨ )
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
દરેક જીવે જીવનાં અસ્તિત્વથી તે મોક્ષ સુધીની પૂર્ણપણે શ્રદ્ધા રાખવી, એમાં જરા પણ શંકા રાખવી નહીં.”
જીવનાં અસ્તિત્વ હોવાપણું), નિત્યત્વ(શાશ્વત હોવાપણું), કર્તુત્વાકર્તાપણું), ભોકતૃત્વ(ભોગવવાપણું) અને મોક્ષ (કર્મથી રહિતપણું). આ પાંચે પદની શ્રદ્ધા. રાખવાનો બોધ થયો છે. જીવાત્માને માટે આ પાંચે અવસ્થા ઉપલબ્ધ છે. તેમાં શંકા કરે તો પણ અવસ્થા છે તે છે જ. શંકાનું સમાધાન જ્ઞાની પાસેથી મળી શકે છે. નકાર કર્યાથી શંકા ઉભી જ રહે છે. નિશંકત્વ પામ્યાથી મોક્ષ પ્રાપ્તિ સરળ બને છે.
“મિથ્યાષ્ટિની ક્રિયા સફળ છે. ફળે કરીને સહિત છે, અર્થાત્ તેને પુણ્ય પાપ ફળનું બેસવાપણું છે. સમ્યક દૃષ્ટિની ક્રિયા અફળ છે, ફળ રહિત છે, તેને ફળ બેસવાપણું નથી, અર્થાત્ નિર્જરા છે.”
ઇakબે પ્રજ્ઞાબીજ - 268 269