________________
પ્રથમ સિદ્ધ કોણ ? પ્રથમ જીવપર્યાય ક્યો ? પ્રથમ પરમાણુપર્યાય ક્યો ? એ કેવળજ્ઞાન ગોચર પણ અનાદિ જ જણાય છે, અર્થાતુ કેવળજ્ઞાન આદિ પામતું નથી અને કેવળજ્ઞાનથી કંઈ છાનું નથી એ બે વાત પરસ્પર વિરોધી છે.”
કેવળજ્ઞાન બાબતે સંપ્રદાયોનો અભિપ્રાય એવો છે કે તે દશામાં આત્માને સર્વકાળનું, સર્વપદાર્થનું અને તેની સર્વ પર્યાયનું જ્ઞાન હોય છે. અને ઉપરનાં પ્રશ્નોના ઉત્તર આપતા અનાદિ કહીને રોકાય જાય છે. આ વાત પરસ્પર વિરોધ દર્શાવે છે. અર્થાતુ કેવળજ્ઞાનની ખરી વ્યાખ્યા તો કેવળ નિજ સ્વરૂપની અખંડ જ્ઞાન દશા જ કહી શકાય તેમ છે. પરપદાર્થોનું જ્ઞાન આત્માને શું ઉપકારી છે ? તે વિચારવું ઘટે છે.
“કેવળજ્ઞાન જિનાગમમાં પ્રરૂપ્યું છે તે યથાયોગ્ય છે, કે વેદાંતે પ્રરૂપ્યું છે તે યથાયોગ્ય છે ?”
બન્ને દર્શનની આ વિષયમાં ભિન્ન-ભિન્ન વ્યાખ્યા છે. તે બાબતે વિવાદ ઉપકારી નથી. સર્વથા અજ્ઞાનનો નાશ તેને કેવળજ્ઞાન કહેવું યોગ્ય છે.
“રાગ, દ્વેષ અને અજ્ઞાનનો આત્યંતિક અભાવ કરી જે સહજ શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત થયા, તે સ્વરૂપ અમારું સ્મરણ, ધ્યાન અને પામવા યોગ્ય સ્થાન છે.”
પૂર્ણ વીતરાગ શ્રી તીર્થંકર-કેવળીનું આ સ્વરૂપ છે. આ સ્વરૂપનું શ્રીમદ્જીને સતત સ્મરણ, ધ્યાનનો વિષય બની ગયો છે તેમ દેખાય છે.
જે મતભેદે આ જીવ પ્રહાયો છે, તે જ મતભેદ જ તેનાં સ્વરૂપને મુખ્ય આવરણ છે.”
માનવજીવ નિજસ્વરૂપનો લક્ષ ચૂકી જઈને સાંપ્રદાયિક મત, માન્યતા, આગ્રહ વગેરે ક્ષુલ્લક બાબતમાં સમયનો વ્યય કરે છે, તે આવરણરૂપ છે.
ઇ%e0%e04 પ્રશાબીજ - 26 BAટાઇટ®િ