________________
બોધપાઠ-૯૧
0 શ્રીમદ્જીનું મનોમંથન-૨ o
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
બજે-જે પ્રકારે આત્માને ચિંતવન કર્યો હોય તે-તે પ્રકારે પ્રતિભાસે છે.”
આત્મા તો અરૂપી અને નિરાકાર છે, ઇન્દ્રિયો વડે જણાય તેવો પદાર્થ નથી, દેહાધ્યાસ છૂટે તો અને સર્વ પર પદાર્થ-સંયોગ પ્રત્યેની આસક્તિ છૂટે તો જેમ છે તેવો અનુભવમાં આવે તેવો પદાર્થ છે. આપણે અજ્ઞાનવશ દેહરૂપે માનવાથી દેહરૂપે ભાસે છે. તે દોષ છે.
વિચારવાનને આત્મા વિચારવાન લાગે છે, શૂન્ય પણે ચિંતન કરનારને શૂન્ય લાગે છે, અનિત્યપણે ચિંતન કરનારને અનિત્ય લાગે છે, નિત્યપણે ચિંતન કરનારને નિત્ય લાગે છે.”
પ્રવાહી પદાર્થને જેવા પાત્રમાં ભરીએ તેવા આકારે તે ભાસ્યમાન થાય છે, તેવું જ આત્મપદાર્થ સંબંધમાં સમજવું રહે છે.
શું વિચારતાં, શું માનતા, શી દશા થતા ચોથું ગુણસ્થાનક કહેવાય ? શાથી ચોથે ગુણસ્થાનકથી તેરમે ગુણસ્થાનકે આવે ?”
આત્મજ્ઞાન, આત્મદર્શન, આત્મસાક્ષાત્કાર આ ચોથા ગુણસ્થાનકની દશા છે તે શું કરવાથી પ્રાપ્ત થાય અને આગળ વધીને કેવળજ્ઞાનદશા ચૌદમાં ગુણસ્થાનકની છે તે કેમ કરી પ્રાપ્ત થાય ? આ વિચાર સતત સાધકને રહે અને સંશોધન કરે તો પ્રાપ્તિ થાય.
ની&િઇટને પ્રશાબીજ - 260 base