________________
“હું શરીર નથી, પણ તેથી ભિન્ન એવો શાયક આત્મા છું, તેમ નિત્ય શાશ્વત છું. આ વેદના માત્ર પૂર્વકર્મની છે, પણ મારું સ્વરૂપ નાશ કરવાને તે સમર્થ નથી, માટે મારે ખેદ કર્તવ્ય નથી એમ આત્માર્થીનું અનુપ્રેક્ષણ હોય.’”
જેને સમાધિ મરણની ભાવના છે તેણે આ વચનો સંપૂર્ણપણે આત્મસાત્ કરી, નિત્યપ્રતિ સ્મરણમાં લાવીને દેહથી ભિન્નતાનો અભ્યાસ કરવાનું જરૂરી માનવું. આ ખરા સ્વરૂપમાં આત્મભાવના છે.
“ચિંતિત જેનાથી પ્રાપ્ત થાય તે મણિને ચિંતામણિ કહ્યો છે, એ જ આ મનુષ્યદેહ છે કે જે દેહમાં, યોગમાં આત્યંતિક એવા સર્વ દુઃખના ક્ષયની ચિંતતા ધારી તો પાર પાડે છે.”
જ્ઞાનીઓ માનવદેહને રત્નચિંતામણિની ઉપમા આપે છે તે એવા અર્થમાં છે કે જીવને સંસાર પરિભ્રમણ કરવું હોય તો તે પણ કરાવી શકે છે અને મોક્ષ જોઈએ તો તે આપી શકે તેવી આ માનવ દેહરૂપ સાધનાની ક્ષમતા છે. વિચાર કર્તવ્ય છે.
“ઉપશમ જ જે જ્ઞાનનું મૂળ છે તે જ્ઞાનમાં તિક્ષ્ણ વેદના પરમ નિર્જરા ભાસવા યોગ્ય છે.”
શારીરિક વેદના, ઉપશમભાવમાં (સમતા-સમાધિભાવમાં) રહીને વેદવામાં આવે તો પૂર્વકર્મની નિર્જરાનું કારણ બને છે. આર્તધ્યાન કરવાથી પણ વેદના ઘટતી નથી તે જ્ઞાન વિચારે આત્મહિત અર્થે ઉમશમ ભાવમાં રહેવું તે કલ્યાણકારી છે.
*
8488 પ્રશાબીજ = 253 Basavaro