________________
બોધપાઠ-૮૯
0
શ્રીમદ્ભુનો તત્ત્વબોધ-૧૭ 0
શ્રીમદ્દના આયુષ્યનું છેલ્લુ ૩૪મું વર્ષ માત્ર પાંચ માસ અને પાંચ દિવસનું જ રહ્યું. આટલા સમયમાં મુનિશ્રી અને અન્ય મુમુક્ષુઓ પ્રત્યે થોડા પત્રો લખ્યા છે. ઉપરાંત રાજકોટમાં લગભગ છેલ્લા ૪૫ દિવસ રહેવાનું થયું તે દરમ્યાન એક અંતિમ સંદેશરૂપ કાવ્ય રચના કરી તે અદ્ભુત રચના છે.
લોકસંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવકાંટો છે તે જિંદગી ગમે તેવી શ્રીમંતતા, સત્તા કે કુટુંબ પરિવારાદિ યોગવાળી હોય તો પણ તે દુઃખનો હેતુ છે. આત્મશાંતિ જે જિંદગીનો ધ્રુવકાંટો છે, તે જિંદગી ગમે તો એકાકી અને નિર્ધન, નિર્વસ્ત્ર હોય તો પણ પરમ સમાધિનું સ્થાન છે.”
પરમ વૈરાગ્યભાવ પ્રગટ કરાવે તેવા આ અમુલ્ય વચનો છે. જીવનમાં ગમે તેટલી શાતારૂપ અવસ્થા હોય તે પણ અંતે તો કેવળ દુઃખરૂપ જ છે. કેમ કે કર્મબંધનો આવી અવસ્થામાં વિશેષ અવકાશ છે. પરંતુ વૈરાગ્ય સભર જેનું જીવન વ્યતિત થાય છે તેને મોક્ષ નિકટ છે.
84848 પ્રશાબીજ + 254 KAKOR+®