________________
સતસુખની પ્રાપ્તિ અર્થે નિજસ્વરૂપમાં નિરંતરની સ્થિતિ કરવી એ ઉપાય છે, બાકી જગતમાં ક્યાંય સુખ નથી.
“જ્ઞાનીના વાક્યનાં શ્રવણથી ઉલ્લાસિત થતો એવો જીવ, ચેતન, જડને ભિન્ન સ્વરૂપે યથાર્થપણે પ્રતિત કરે છે, અનુભવે છે, અનુક્રમે સ્વરૂપસ્થ થાય
જડ-ચેતન પુદ્ગલ અને જીવ) પરસ્પરનાં સંગમાં અનાદિથી છે. જીવ આ સંગનાં યોગે પોતાનું ભિન્નપણું વિસરી ગયો છે. બંને એકરૂપ માનતો થયો છે. આ પાયાની ભૂલ છે તે જ્ઞાનીનાં વચનોથી લક્ષમાં આવે છે, વિચાર કરતા પ્રતીતિ થાય છે, સૂક્ષ્મ વિચારનાં પરિણામે અનુભવમાં આવે છે. આ ભેદ જ્ઞાન છે.
અકસ્માત શારીરિક અશાતાનો ઉદય થયો છે, અને તે શાંત સ્વભાવથી વેદવામાં આવે છે.”
સમસ્ત સંસારી જીવો કર્મવસાત્ શાતા-અશાતાનો ઉદય અનુભવ્યા જ કરે છે. જેમાં મુખ્યપણે તો અશાતાનો જ ઉદય અનુભવાય છે.”
શ્રીમદ્જીને સંગ્રહણી નામનો રોગ એકાએક દેહમાં પ્રગટ થયો. શરીર ક્ષીણ થવા લાગ્યું. પૂર્વનું અશુભકર્મ ઉદયમાં આવ્યુ છે. આમ છતા આત્મબળથી સ્વસ્થ આત્મદશામાં છે. છેવટ સુધી રહી શક્યા છે. વેદનીય કર્મ સમાધિભાવમાં રહીને ભોગવ્યું છે. આવી વિકટ અવસ્થામાં પણ નિષ્કામ કરુણાંથી તેમનાં આશ્રિત મુમુક્ષુઓને છેવટ સુધી પરમાર્થમાર્ગનો બોધ કરતા જ રહ્યા. મુનિશ્રી લઘુરાજ સ્વામીને એક પત્રમાં લખે છે કે :
“બીજ વાવ્યું છે તેને ખોતરશો નહીં. તે સફળ થશે.”
સમક્તિનું બીજ મુનિશ્રીનાં આત્મામાં પોતે રોપેલું છે. તેની કાળજી લેવા જણાવ્યું છે. ધીરજ છોડીને ખોતરવારૂપ ક્રિયા કરવાથી બીજ નિષ્ફળ થાય છે તેવો લક્ષ કરાવ્યો છે.
ઇakબે પ્રજ્ઞાબીજ •252 views