________________
બોધપાઠ-૮૮
0 શ્રીમદ્જીનો તત્ત્વબોધ-૧૬ 0
તેત્રીસમાં વર્ષમાં શ્રીમદ્જીનાં દેહે ઘણું કરીને અસ્વસ્થતારૂપ રોગવ્યાધિનો ઉદય હતો, જો કે આત્મસ્વસ્થતા પુરેપુરી હતી. કેટલાક વચનો વિચારવા જેવા છે.
આ દુષમકાળમાં સત્સમાગમનો યોગ પણ અતિ દુર્લભ છે, ત્યાં પરમસત્સંગ અને પરમ અસંગપણાનો યોગ ક્યાંથી બને ?”
ભૌતિક પદાર્થો અને સ્વાર્થવૃત્તિનાં માનવજીવોની બોલબાલા અતિશય જોવા મળે છે ત્યાં સત્સમાગમ માટે પણ જીવને રૂચિ અને સમય મળતો. નથી. તો પછી પરમસત્સંગ કે અસંગતાનો યોગ તો ક્યાં શોધવો ? આ કાળમાં આત્મજ્ઞાની પુરુષોનો વિરહ બહુધા રહે છે. આમ જાણીને સતુજીજ્ઞાસુ મુમુક્ષુએ વધુ સાવધાન રહી, વધુ પરિશ્રમ લેવો પડે.
અનંત અવ્યાબાધ સુખનો એક અનન્ય ઉપાય; સ્વરૂપમાં સ્થિર થવું તે જ છે.”
હાઇakી પ્રજ્ઞાબીજ •25 take