SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ “દેહાદિ સંબંધી જે પુરુષો હર્ષ-વિષાદ કરતા નથી તે પુરુષો પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે.” આત્મા અને દેહ સંબંધમાં જેમને નિશ્ચયરૂપ ભેદજ્ઞાન પ્રત્યેક ક્ષણે વર્તે છે તેને દેહ પ્રત્યે ગમે તેવી શાતા કે અશાતાનાં પ્રસંગે પણ કિંચિત માત્ર હર્ષ-શોક થતો નથી. ગણધર ભગવંતોએ જે દ્વાદશાંગી(બાર અંગ)ની રચના કરી છે. તેનો સાર પણ આવી આસંગદશા પ્રાપ્ત થવી તે છે. “હે જીવ આ ક્લેશરૂપ સંસારથી નિવૃત્ત થા, નિવૃત્ત થા.” શ્રીમદ્જીએ જગતનાં સર્વ જીવો પ્રત્યે અતિ કરુણા થઈ આવતા, આ બોધ વચન લખ્યું છે તેનો મહિમા જીવને થાય અને સંસાર પ્રત્યેથી તેની આસક્તિ છુટી જાય, વૈરાગ્ય ભાવ બળવાન થતો જાય અને સંસાર પ્રત્યેની કોઈ પણ સ્પૃહા ન રહે તો પછી તેને આ સંસારમાં રોકનારું કોણ છે ? અનેકાંત દૃષ્ટિથી સમસ્ત જગતને જોતાં એવા જ્ઞાનીઓ એકાંતે ક્લેશરૂપ આ સંસારને માને છે-બોધે છે તેનો મર્મ સત્ જીજ્ઞાસુ સહેજે સમજી શકે તેમ છે. જ્ઞાનીનું વચન મિથ્યા હોય નહીં. * ICC પ્રશાબીજ = 248 Basavaro
SR No.034368
Book TitlePragnabij
Original Sutra AuthorN/A
AuthorMadhubhai Parekh
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2018
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy