________________
આ વાત શ્રીમદ્જીને લખેલી જેમ શ્રીમદ્જીએ એ વિકલ્પ પણ છોડી - અસંગ થવાનો ઉપદેશ કર્યો અને લખ્યું કે જે તે જીવને પુરુષ અને તેમનાં વચનમાં પ્રતીતિ થાય ત્યારે જ તેને પરમાર્થ રુચિ સંભવે છે, માટે આવો વિકલ્પ પણ ત્યાગવો જરૂરી છે.
“સર્વ જીવ પ્રત્યે, સર્વ ભાવ પ્રત્યે અખંડ એકરસ વીતરાગ દશા રાખવી એ જ સર્વ જ્ઞાનનું ફળ છે.”
આમ સમાધિમરણનું રહસ્ય વીતરાગ દશા છે તેવો નિશ્ચય શ્રી સૌભાગને કરાવી બહુ બહુ ઉપકાર કર્યો છે. ધન્ય છે આવા નિષ્કામ કરૂણાશીલ આત્મજ્ઞાની પુરુષને અને ધન્ય છે તેનાં આવાં સત્ જીજ્ઞાસુ આશ્રિત મુમુક્ષુને. આપણાં એ સૌને વંદન હો.
Araba veuolex • 244 Balada