________________
છે તેણે પૂર્વકર્મનાં ઉદયરૂપ વેદન સહી લેવું જ ઉત્તમ છે. આત્મબળ મંદ હોય ને આર્તધ્યાન થતું હોય તો જ ઔષધ લેવું અને આર્તધ્યાનથી બચવું. પરંતુ ઔષધ નિર્દોષ, નિરાવદ્ય લેવું. મુનિ કે મુમુક્ષુ બંનેએ આ વિવેક કરવાનું યોગ્ય છે.
શ્રીમદ્જીના પરમસખા, પરમાર્થસખા શ્રી સૌભાગભાઈનો આ વર્ષમાં દેહાંત થયો છે. તે દેહાંત સંબંધી આગોતરી જાણ તેમને અને શ્રીમદ્જીને પણ હતી. શ્રીમદ્જીએ તેમને સમાધિ મરણ થવામાં સહાયકારી થાય તેવાં છેવટનાં ત્રણ પત્રો લખ્યા છેપ્રત્યેક મુમુક્ષને પ્રેરણા થવામાં અતિ ઉપકારી છે. કેટલાક વચન આપણે વિચારીએ :
“સર્વ અન્યભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વર્તે છે તે મુક્ત છે. બીજા સર્વદ્રવ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસંગપણું, કાળથી અસંગપણું અને ભાવથી અસંગપણું સર્વથા જેને વર્તે છે તે મુક્ત છે.”
જીવાત્મા પોતાનાં સ્વભાવમાં લીન થાય છે ત્યારે અન્યભાવથી મુક્ત રહે છે. સ્વભાવ તે આત્મભાવ છે, તે સિવાય સર્વભાવ તે અન્ય ભાવ છે. કોઈ પણ પરપદાર્થ, પરસંયોગ કે તે પ્રત્યેની જીવની આસક્તિ કેવળ કર્મબંધનું કારણ બને છે. અને તે સર્વ પ્રત્યે અસંગભાવ મોક્ષનું કારણ બને છે. જો કે પરપદાર્થ-પદ્રવ્ય વગેરેનો સંયોગ જીવને પૂર્વકર્મનાં પરિણામે થતો હોવાથી તે સંયોગ કે વિયોગ તેના વશમાં નથી, પરંતુ સાક્ષીભાવે, દ્રષ્ટા બનીને તે વર્તે તો કર્મબંધથી બચે છે. કર્મ નિર્જરાનું પણ કારણ છે.
“કોઈને અર્થે વિકલ્પ નહીં આણતા અસંગપણું જ રાખશો. જેમ જેમ સપુરુષનાં વચન તેમને પ્રતીતિમાં આવશે, જેમ જેમ આજ્ઞાથી અસ્થિમિજા રંગાશે, તેમ તેમ તે તે જીવ આત્મકલ્યાણને સુગમપણે પામશે. એમ નિઃસંદેહતા
શ્રી સૌભાગને દેહત્યાગ નિકટ છે તે જણાઈ આવ્યાથી પરિવાર પ્રત્યે તેમનો પરમાર્થિક ભાવ હતો કે એ લોકો આત્મકલ્યાણમાં રુચિ કરીને વર્તે.
ની&િઇટને પ્રશાબીજ • 243 vieઇkes