________________
“સર્વ દુઃખનો આત્યંતિક અભાવ અને પરમ અવ્યાબાધ સુખની પ્રાપ્તિ એ જ મોક્ષ છે. અને તે જ પરમહિત છે.”
મોક્ષ એટલે મુક્તિ, બંધનથી મુક્તિ, જીવ રાગ, દ્વેષ, કષાય અને અજ્ઞાનથી મુક્ત થાય તો સદેહે મોક્ષસુખનો અનુભવ કરે, મર્યા પછીનાં મોક્ષની કલ્પના સાધકને ઉપકારી નથી. દેહ છતાં નિર્વાણની દશાનો લક્ષ રાખીને આત્મસ્વરૂપમાં સ્થિર થવાનો અભ્યાસ કર્તવ્ય છે.
સતત અંતર્મુખ ઉપયોગે સ્થિતિ એ જ નિગ્રંથનો પરમધર્મ છે. એક સમય પણ ઉપયોગ બહિર્મુખ કરવો નહીં એ નિગ્રંથનો માર્ગ છે.”
જેની મોહની-રાગની ગ્રંથી ક્ષય પામી છે તે નિગ્રંથ છે. બહિર્મુખતા મોહનરાગમાં વૃદ્ધિ થવામાં સહાયક પરિબળ છે. તેમ સમજાય છે.
કેટલાક રોગાદિ પર ઔષધાદિ સંપ્રાપ્ત થયે અસર કરે છે કેમ કે તે રોગાદિનાં હેતનો કર્મબંધ પણ તેવા પ્રકારનો હોય છે.”
“નિવૃત્ત થવા યોગ્ય તે રોગાદિ સંબંધિ કર્મબંધ ન હોય તો તેના પર ઔષધ આદિની અસર થતી નથી. અથવા ઔષધ આદિ પ્રાપ્ત થતા નથી કે સમ્યકુ ઔષધાદિ પ્રાપ્ત થતા નથી.”
જ્યાં દેહ છે ત્યાં રોગ પણ તેમાંજ છુપાઈને રહ્યો છે. સમય આવ્યે પ્રગટ થઈ વેદન કરાવે છે. રોગનું કારણ જે તે જીવનું પૂર્વનું અશુભકર્મ છે. કર્મબંધ અનેક પ્રકારે થાય છે, કર્મની સ્થિતિનો કાળ પણ ક્ષણિક છે. નિત્ય નથી. ઔષધ લીધાથી રોગ મુક્ત થવાય છે જ એવું પણ નથી. થવાય પણ ખરું, ન પણ થવાય, અથવા યોગ્ય ઔષધ સમયસર મળે કે ન મળે, આ બધું આપણાં અનુભવમાં આવે છે. એ જોતાં જે તે જીવની પૂર્વકર્મની પ્રકૃતિ અને સ્થિતિ અને બળવાન કે શિથિલ ઉદય અનુસાર નિમિત્તરૂપ ઔષધ પરિણામ આપે છે. એક જ પ્રકારના રોગમાં, એક જ પ્રકારનું ઔષધનું સેવન છતાં એક જલ્દી સાજો થાય, બીજો લાંબા સમયે થાય, ત્રીજો મરણ પામે, આ આપણાં સૌનો અનુભવ છે. મુખ્યતા કર્મબળની છે. મોક્ષનો હેતુ જેને મુખ્ય
ની&િઇટને પ્રશાબીજ • 242 vieઇkes