________________
બોધપાઠ-૮૫
0 શ્રીમદ્જીનો તત્વબોધ-૧૩ (o
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
શ્રીમદ્જીએ ૩૦ માં વર્ષમાં અપૂર્વ અવસર નામે કાવ્ય રચના કરી છે જેમાં જૈન દર્શન અનુસાર ગુણ સ્થાનકે માનવજીવની દશા ઉત્તરોત્તર વધતી હોય છે તે કેવી હોય તેનું અદભત દર્શન છે. અને છેલ્લે સિદ્ધપદ પ્રાપ્તિની ભાવના સુંદર-સચોટ કરી છે. કેટલાંક શ્રી સૌભાગભાઈ ઉપરનાં પત્રો તત્ત્વસભર લખાયા છે. તેમ જ પંચાસ્તિકાયનું વર્ણન કેટલાંક લેખમાં આ વર્ષે થયું છે.
લોકની દૃષ્ટિને જ્યાં સુધી આ જીવ વમે નહીં તથા તેમાંથી અંતવૃતિ છૂટી ન થાય ત્યાં સુધી જ્ઞાનીની દૃષ્ટિનું વાસ્તવિક મહાસ્ય લક્ષગત ન થઈ શકે એમાં સંશય નથી.
જેનું પરમાર્થને વિષે આરાધન છે તેવાં મુમુક્ષુ-સાધકે પ્રથમ લોકલાજલોકષ્ટિ તજવી પડે અને જેણે તેમ કર્યું છે તે વાસ્તવિક પરમાર્થ પામીને મુક્ત થયા છે. જ્ઞાનીનો સમાગમ તો ઘણાં જીવોને થતો જોવાય છે, પરંતુ હા8િ4 પ્રજ્ઞાબીજ • 239 base