________________
આટલી વિષદ્ ચર્ચા થતી જોવામાં આવતી નથી. અને જીવને શાસ્ત્રો વાંચવાસમજવા કઠણ છે. ભાષા, લીપી વગેરે અને પારિભાષિક શબ્દ જ્ઞાનનો અભાવ જીવને નિરાશા તરફ લઈ જાય છે. ત્યારે આ શાસ્ત્ર જીવોને માર્ગની સમજ, સરળતાથી આપે છે, તે કેટલો મોટો ઉપકાર થયો છે ? માર્ગને અતિશય ટૂંકો છતાં યથાર્થ બોધ્યો છે. આ પુરુષ અને આ શાસ્ત્ર (આત્મસિદ્ધિ)નો ઉપકાર કોઈ પ્રકારે ભુલી શકાય તેમ નથી. મુમુક્ષુ આ શાસ્ત્રનો પુરો લાભ લઈ આત્મકલ્યાણ સાધે તેમાં આ પુરુષનો મોટો રાજીપો છે અને એ જ ઉપકારનો પ્રતિ ઉપકાર માનીને વર્તવું હિતકારી છે. વિશેષ તો કહ્યું જાય તેમ નથી.
*
8488 પ્રશાબીજ * 238 Basavaro