________________
વિભાવમાં જઈ શકતો નથી અને તેથી કર્મબંધથી બચી જાય છે. સત્તાગત કર્મની નિર્જરા પણ સહેજે થાય છે.
શ્રીમદ્જીએ ૨૫માં વર્ષમાં એક વચન એવું લખ્યું છે કે :
“ગમે તે ક્રિયા, જપ, તપ કે શાસ્ત્રવાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે; તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સનાં ચરણમાં રહેવું.”
આ બંને વચનોની સંધિ કરતા સહેજે સમજાય છે કે બાહ્ય ક્રિયાકાંડ વગેરે મોક્ષનું સીધુ કારણ બનતું નથી. જીવ શુભભાવમાં આવી શકે છે અને સારી ગતિનું કારણ બની શકે છે. અને પરંપરાએ મોક્ષનું કારણ થઈ શકે છે. આ માર્ગ લાંબો છે. ટૂંકો માર્ગ તો જગતની વિસ્મૃતિ અને સંતુનિજ શુદ્ધાત્મા)માં લીન થવું તે છે.
શ્રીમદ્જીએ પોતાનાં દેહત્યાગનાં સમયે છેલ્લું વચન કહ્યું : હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું.”
આ વચન ઉચ્ચારાયા પછી કેવળ મૌન થયા, સમાધિભાવમાં પૂર્ણ જાગૃત છતાં અચેતન દશારૂપ દેહને સ્થિર કર્યો, સર્વ સંગથી સંપૂર્ણ નિવૃત્ત થયા. નિર્વિકલ્પ દશામાં પાંચ કલાક રહીને પૂર્ણ સમાધિભાવે દેહ છોડી દીધો. આ અવસ્થાનું મુમુક્ષુએ વારંવાર સ્મરણ કરી ચિંતવન-નિદિધ્યાસન કરવું અતિ શ્રેયકારી બને તેમ છે તેમ નિશંક લાગે છે. ધન્ય છે આ આત્મદશાને. વંદન હો, વંદન હો.
ની&િઇટને પ્રશાબીજ • 231 base