________________
“રાગદ્વેષાદિ વિચારોનું ઉદ્દભવ થવું તે જીવે પૂર્વોપાર્જિત કરેલાં કર્મનાં યોગથી છે. વર્તમાનકાળમાં આત્માનો પુરુષાર્થ કંઈ પણ તેમાં હાનિ વૃદ્ધિમાં કારણરૂપ છે.”
કોઈપણ જીવ સ્વભાવથી રાગી કે દ્વેષી નથી, વિભાવથી છે. પૂર્વ ઉપાર્જિત કર્મ ઉદયમાં આવતા, અજ્ઞાનવશ જીવ ત્યાં રાગ કે દ્વેષ કરી કર્મબંધ કરે છે. પરંતુ જ્ઞાન ઉપયોગ અને જાગૃતપણે રહીને ત્યાં સાક્ષીભાવે વર્તે તો રાગ-દ્વેષ કરવાનું ટાળી શકે છે અને તે કર્મબંધથી પણ બચી જાય છે. વર્તમાન પુરુષાર્થ નિર્ણાયક છે.
વિચારવાનને દેહ છૂટવા સંબંધી હર્ષવિષાદ ઘટે નહીં.”
જીવને દેહ સાથેનો સંબંધ સંયોગથી છે - સ્વભાવથી નથી. બંને દ્રવ્ય સર્વથા ભિન્ન છે. એક નથી. અને જ્યાં સંયોગ છે ત્યાં વિયોગ નિશ્ચયથી છે જ તેવો બોધ જેને થયો છે તે વિચારવાનું કહેવા યોગ્ય છે. આવી દશામાં જે જીવ છે તેને દેહ ત્યાગ વિષે કોઈ પ્રકારે હર્ષ-શોક સંભવે નહીં. હર્ષ-શોક તો અજ્ઞાન દશાનું સ્વરૂપ છે – પરિણામ છે. તેમ સમજવું યોગ્ય લાગે છે.
શ્રીમદ્જીએ આ અઠ્યાવીસમાં વર્ષમાં એક અદ્ભુત લેખ લખ્યો છે, જેમાં મોક્ષ પ્રાપ્તિનો સહજ અને સરળ માર્ગ સમજાવ્યો છે :
“સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મોક્ષ કહે છે. સહજસ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજ-સ્વરૂપનું માત્ર ભાન જીવને નથી. જે થયું તે જ સહજસ્વરૂપે સ્થિતિ છે.”
અનેક ધર્મમત, દર્શન, શાસ્ત્રો અને ધર્મગુરુઓ આ કાળમાં મોક્ષનાં ઉપાય અનેકવિધ પ્રકારે બતાવે છે. કોઈ જ્ઞાન માર્ગની તો કોઈ યોગમાર્ગની તો વળી કોઈ ભક્તિમાર્ગની મુખ્યતા કહે છે. કોઈ જપ, તપ, ક્રિયાકાંડ, હોમહવન, દાન-પુણ્ય, સેવા-પૂજા અને તીર્થયાત્રા કે તીર્થસ્થાપના વગેરેનું મહત્ત્વ દર્શાવે છે. શ્રીમદ્જીએ આ બધી બાબતોને ગૌણ માની છે અને મુખ્યતા જીવાત્માને સ્વરૂપમાં સ્થિર થવાની કહી છે. જીવાત્મા સ્વસ્વરૂપમાં સ્થિર થયાથી
ની&િઇટને પ્રશાબીજ • 230 base