________________
બોધપાઠ– ૮૪
-
0 શ્રીમદ્ભુનો તત્ત્વબોધ-૧૨
722~~~~~~~~~~~~~~~~
ઓગણત્રીસમાં વર્ષમાં શ્રીમદ્ભુએ બે મહાન પદ્ય રચના જગતને ભેટ ધરી છે, (૧) મૂળ માર્ગ(મોક્ષ માર્ગ) અને (૨) આત્મસિદ્ધિશાસ્ત્ર. ઉપરાંત એક પત્ર(૬ ૮૦) મહાવીર જન્મદિન ચૈત્ર સુદ-૧૩, ૧૯૫૨. શ્રી સૌભાગભાઈ વગેરેને પણ ઘણાં પત્રો લખાયા છે તે પ્રથમ જોઈશું.
જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેનું નામ, સમજવું છે. તેથી ઉપયોગ અન્ય વિકલ્પરહિત થયો તેનું નામ શમાવું છે.’’
અનંતકાળ થયા, જે આત્મતત્ત્વ જાણ્યું નહોતું, તે તત્ત્વ જેમ છે, તેમજ યથાર્થ સ્વરૂપમાં જાણ્યું તે ખરાં અર્થમાં સમજવું કહેવાય. કેમ કે સમજવા જેવું આ એક જ તત્ત્વ છે, નિજ સ્વરૂપ છે, બાકીનું સમજવું પણ આ તત્ત્વને સમજવા પુરતું જ કામનું છે. આત્મતત્ત્વ યથાર્થ જાણ્યાથી વિકલ્પ સર્વ સમાય જાય છે, તેથી તે દશા સમાય ગયાની છે. પરિણામે અન્ય સર્વ પદાર્થ સંબંધી આસક્તિ-રાગ છુટી જાય છે.
84848 પ્રશાબીજ + 232 KAKOR+®