________________
વધતું જાય છે. આત્મજ્ઞાન, આત્મસમાધિ અર્થાત્ નિજસ્વભાવ-સ્વરૂપમાં સ્થિતિ થવામાં મુખ્ય કારણ છે અને સ્વરૂપમાં સ્થિતિ જેટલી વધે તેટલી મોક્ષપદની નિકટતા અનુભવાય છે.
શ્રીમદ્જીએ મહાત્મા ગાંધીજીને બીજા એક પત્રમાં જણાવ્યું છે કે :
“અનિત્ય પદાર્થનો રાગ રહેવાથી તેનાં કારણે ફરી ફરી સંસાર પરિભ્રમણનો યોગ રહ્યા કરે છે.”
અનાદિથી, નિત્ય એવા જીવને સદાય પુદગલનો સંયોગ છે. પુદગલની પર્યાય સમયે-સમયે બદલાતી રહે છે અને જ્યારે-જ્યારે જીવ કોઈ પર્યાય પ્રત્યે રાગ-આસક્તિ કરી પ્રવર્તે છે ત્યારે ત્યારે શુભાશુભ કર્મબંધ કરીને પરિભ્રમણ વધારતો રહે છે. આ અજ્ઞાન દશા છે. આવા બોધ વચનનાં પરિણામે પૂ. ગાંધીજી અત્યંત અપરિગ્રહી થયા હતા.
જ્ઞાની પુરુષનાં ચરણને વિષે મન સ્થાપ્યા વિના, એ ભક્તિમાર્ગ સિદ્ધ થતો નથી.”
મોક્ષપદની પ્રાપ્તિ માટે ત્રણ માર્ગ શાસ્ત્રોમાં દર્શાવ્યા છે. જ્ઞાનમાર્ગ, ક્રિયાયોગ)માર્ગ અને ભક્તિમાર્ગ. જેમાં ભક્તિમાર્ગ સરળ છે તેવું કથન જ્ઞાનીઓનું છે. ભક્તિમાર્ગનું સ્વરૂપ સમજીને આરાધન થાય તો સફળ છે. જેની ભક્તિ કરીએ તેની આજ્ઞામાં પૂર્ણપણે રહીને, મન સ્થિર કરીને અને વિકલ્પરહિત થઈને ભક્તિ થાય તો જ ભક્તિ સરળ છે - સફળ છે. ભક્તિમાં સમર્પણ થવું તે મુખ્ય શરત છે. ભજન, કીર્તન, ભાવના, સ્તુતિ વગેરે રાગરાગીણી અને વાંજીત્રોથી લોક રંજનનું કારણ બનતું હોય તો તે ભક્તિનું સાચું સ્વરૂપ નથી.
આત્મા સૌથી અત્યંત પ્રત્યક્ષ છે, એવો પરમ પુરુષે કરેલો નિશ્ચય તે પણ અત્યંત પ્રત્યક્ષ છે.”
આત્માને પોતાનું નિજસ્વરૂપ કોઈ પ્રકારે પરોક્ષ હોવાનો સંભવ નથી. પોતે પોતાથી દુર-અદશ્ય કેમ કરીને રહી શકે ? આમ અત્યંત પ્રત્યક્ષ છે.
ની&િઇટને પ્રશાબીજ • 228