________________
વૈરાગ્યભાવે જગતમાં રહ્યા થકી તે જીવ જગદીશ થઈ શકે છે. આ અપેક્ષાએ જગતને મિથ્યા માન્યું છે. આત્મજ્ઞાનીને જગત અવરોધરૂપ થતું નથી. આ સમાધિભાવ છે.
જે પ્રકારે બંધનથી છુટાય તે પ્રકારે પ્રવર્તવું એ હિતકારી કાર્ય છે. બાહ્ય પરિચયને નિવૃત્ત કરવો એ છુટવાનો એક પ્રકાર છે.”
જીવને જે કારણથી બંધન (કર્મનું બંધન) છે તે કારણને જાણે અને તજે તો કર્મબંધ થાય નહીં. સર્વપ્રકારનો બાહ્ય પરિચય-સંબંધ કર્મબંધનું કારણ સહેજે થાય છે. સાધક સાક્ષીભાવે રહેવાની કળા હસ્તગત કરે તો ઘણું કરીને કર્મબંધ થતો નથી.
“સર્વ કલેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં અને અસત્સંગ તથા અસત્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી.”
જ્ઞાનીઓ સંસારને એકાંતે કલેશમય કહે છે કેમ કે સંસાર કલેશ અને અનેકવિધ પ્રકારે દુઃખથી ભરેલો છે. આવા સંસારમાં રહીને જ સાધકે મોક્ષમાર્ગ આરાધવાનો છે અને તે માટે આત્મવિચાર થકી આત્મજ્ઞાન કરવાનું છે અને આત્મવિચાર થવામાં સત્સંગ મુખ્ય સાધન છે.
“આરંભપરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસહ્મસંગનું બળ ઘટે છે, સત્સંગનાં આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે.”
અનાદિનાં કુસંસ્કાર અને વર્તમાનમાં અજ્ઞાનદશા હોવાથી જીવને આરંભપરિગ્રહની પ્રવૃત્તિ સહજ થઈ ગઈ છે. સત્સંગનાં પરિણામે જીવ યથાર્થ જ્ઞાનનો પરિચય પામી આ દોષથી મુક્ત થઈ શકે છે. આવી દોષમુક્તિ પણ મોક્ષનું આંશિક સ્વરૂપ છે. સ્વરૂપની શુદ્ધિ થાય છે.
જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે.” જીવને જેમ-જેમ અજ્ઞાન-વિપરીતજ્ઞાન ઘટતું જાય તેમ-તેમ આત્મજ્ઞાન
ઇ%e0%e04 પ્રશાબીજ • 27 Aટાઇટ®િ