________________
કેવળજ્ઞાનની પ્રાપ્તિનું કારણ બને છે. આત્મા જેવો છે તેવો સ્પષ્ટ અનુભવમાં આવે, વેદનમાં આવે અને તેમાં પરિણામે કૃતકૃત્યતા અનુભવાય, શાંતિ અને આનંદનું વેદન થાય તે પરમાર્થ સમક્તિ પ્રાપ્તિનું પ્રમાણ છે, તેમ સમજાય છે.
ઘણાં પ્રકારે જીવનો વિચાર કરવાથી, તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી.’’
અરૂપી અને અતિન્દ્રીય એવો આત્મા કોઈ રૂપી પદાર્થનાં દૃષ્ટાંતે તો સમજાય નહીં અને ઇન્દ્રીયોથી પણ જાણી શકાતો નથી, છતાં તેનો અનુભવ, પ્રતીતિ, વેદન અવશ્ય થઈ શકે છે, પરંતુ આમ થવા માટે જે પુરુષને એવી સ્થિતિ પ્રાપ્ત થઈ હોય તે જ અન્ય જીવને તે આત્માનો યથાર્થ પરિચય કરાવી શકે છે.
“સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઇચ્છા થતી હોય તો તે પુરુષે (જીવે) જ્ઞાનીનાં વચન સાંભળ્યા નથી; અથવા જ્ઞાનીનાં દર્શન પણ તેણે કર્યા નથી, એમ તીર્થંકર કહે છે.’’
સાધક-મુમુક્ષુએ અપક્ષપાતપણે પોતાનું જ આત્મ નિરિક્ષણ-પરિક્ષણ કરવાથી પોતાની ભૂમિકા સમજાય તેવું છે. સત્પુરુષનો સંગ, ઓળખ અને શ્રદ્ધા જેને પણ પ્રાપ્ત થઈ હોય તેને સંસાર પ્રત્યે ઉદાસીનતા આવ્યા વિના રહે નહીં.
“જેની પાસેથી ધર્મ માગવો, તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી એ વાક્યને સ્થિર ચિત્તથી વિચારવું.”
ધર્મ પ્રાપ્તિનો હેતુ મોક્ષની પ્રાપ્તિનો હોય છે. સામાન્ય ભૌતિક પદાર્થ ખરીદવામાં પણ ચોકસાઈ રાખતા હોઈએ તો આ તો અમૂલ્ય, અલૌકિક પદાર્થ લેવો છે તો ચોકસી અનિવાર્ય સમજવી ઘટે.
NAKE પ્રશાબીજ + 217 parava