________________
જ્યારે જીવની નિત્યતાનો સ્વીકાર કરાતો હોય ત્યારે પુનર્જન્મનો પણ સ્વીકાર કરવો રહ્યો, કેમ કે જીવાત્મા જે-તે દેહનો કોઈ સમયે ત્યાગ કરે છે (મૃત્યુ પામે છે) તે સહજ અનુભવમાં આવે છે. તો તે જીવ દેહ છોડીને ક્યાં ગયો ? શું પ્રત્યેક જીવનો મોક્ષ થાય છે તેમ માની શકાય ? ક્યાંકથી આવ્યો છે અને ક્યાંક જાય છે. જ્યારે-જ્યારે તે જ્યાં ગયો ત્યાં-ત્યાં તેનો તે પુનર્જન્મ જ છે, તેમ સમજવું.
“દેહ તે આત્મા નથી, આત્મા તે દેહ નથી... દેહનો જોનાર જાણનાર એવો આત્મા દેહથી ભિન્ન છે, અર્થાતુ દેહ નથી.”
આ ભેદજ્ઞાન છે. ભ્રાંતિથી દેહમાં સ્વપણાની માન્યતા જીવને અનાદિથી ચાલી આવે છે. પરિણામે દેહ અને દેહનાં સંયોગમાં આવતા જડ-ચેતન પદાર્થો પ્રત્યે જીવને મોહભાવ રહે છે. ભિન્નતા ભાસે તો દેહભાવ છૂટી જાય અને આત્મા આત્મભાવમાં રહેતો થાય. જગત પ્રત્યે સાક્ષીભાવ પ્રગટ થાય.
“દીક્ષા લે તો તારું કલ્યાણ થશે એવા વાક્ય તીર્થંકરદેવ કહેતા નહોતા. તેનો હેતુ એક એ પણ હતો કે એમ કહેવું એ પણ તેનો (જીવનો) અભિપ્રાય ઉત્પન્ન થવા પહેલા તેને દીક્ષા આપવી છે; તે કલ્યાણ નથી.”
આ કાળનાં મુનિઓએ આ વાત લક્ષમાં લેવા જેવું છે. જીવને સ્વતંત્ર નિર્ણય લેવા માટે અવકાશ આપવો જરૂરી છે. દોરવાય જઈને નિર્ણય લે તો પરિણામે, જે વીતરાગતા પ્રગટવાનું જરૂરી છે તે કદાચ નહીં થાય. સ્વનિર્ણયમાં જીવનો નિર્ધાર બળવાનપણે વર્તે છે.
આત્મા જે પદાર્થને તીર્થંકરે કહ્યો છે, તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પરિણામે આત્મા સાક્ષાત ભાસે ત્યારે તેને પરમાર્થ સમ્યકત્વ છે, એવો શ્રી તીર્થકરનો અભિપ્રાય છે.”
- શ્રીમદ્જીએ આત્મસિદ્ધિશાસ્ત્રમાં પરમાર્થ સમક્તિનું સ્વરૂપ ગાથા૧૧૧માં લખ્યું છે તે ત્રીજા પ્રકારનું ઉત્કૃષ્ટ સમક્તિ છે. આવું સમક્તિ
હાઇakી
પ્રજ્ઞાબીજ •216 a
t
9