________________
બોધપાઠ-૪
ભવરોગ
હે પરમ કૃપાળુ, સદ્ગુરુ દેવ, હું આપનાં શરણમાં આવ્યો છું. આપની સન્મુખ થયો છું. મારું પ્રયોજન રોગ મુક્ત થવાનું છે. આપ પ્રભુ “સદ્ગુરુ વૈદ્ય સુજાણ છો.’” મને શ્રદ્ધા છે કે આપ મને અવશ્ય રોગ મુક્ત કરશો જ. હવે હું આપને મારા રોગની વાત કરુ છું તે ધ્યાન દઈને સાંભળવાની કૃપા કરશો. હું અનેક રોગથી ગ્રસ્ત છું તે ક્રમથી કહું છું :
૧. મારું મસ્તક અજ્ઞાનથી ભરપુર છે, બહુ પીડા આપે છે.
૨. મારી બે આંખો રાગ અને દ્વેષથી સતત બળતી રહે છે.
૩. મારા બે કાન મિથ્યા શ્રવણથી સતત દુઃખતા રહે છે.
૪. મારી નાસિકા જગતનાં અનેકાનેક દોષો ગ્રહણ કરી સુજી ગઈ છે.
૫. મારી જીભ નિંદા-કુથલી અને આત્મ પ્રસંશાથી દાજી રહી છે.
૬. મારા શરીરનાં રોમેરોમે અનંત કર્મોનો વ્યવસાય ચાલી રહ્યો છે.
848KB પ્રશાબીજ * 21 paravano