________________
વેદન સમતા ભાવથી વેદાતું જાય અને કર્મોદય અનુસાર પૂર્ણ સ્વસ્થતા પૂર્વક વિચરણ થતું જોવાય તે સદ્દગુરુ હોય. વળી બોધવાણી શ્રવણ કરતા જીવને શાંતિનું વદન થતું હોય, આનંદ-ઉલ્લાસ વધતો હોય, પૂર્વાપર વિરોધ રહિત વચનનો અનુભવ થતો હોય અને અપૂર્વતાનો ભાસ થતો હોય તેમ જ જેમનો બોધ વીતરાગી પુરુષનાં બોધ સાથે મળતો લાગે-અવિરોધ લાગે, આવો અનુભવ થયેથી એવા ગુરને સદગુરૂ માની તેમનું શરણ સ્વીકારવાથી બધાં જ વિકલ્પો શાંત થઈને મનને સમાધાન મળી શકે છે, તેવી શ્રદ્ધા થઈ આવે છે. બસ, પ્રભુ હવે તો એક સાચા સદ્ગુરુને સેવવા, તેમની આજ્ઞાએ વર્તવું એજ કલ્યાણનો માર્ગ છે તેવો નિશ્ચય થયો છે. મારા આ નિશ્ચયને પોષણ મળે તેવી કૃપા કરશો ને?
ઇAિZA પ્રશાબીજ 20 bookઇ8િ