SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ માનવ જગતમાં પ્રવર્તતા પ્રત્યેક ધર્મમતમાં જપ, તપ, આદિ ક્રિયાની મુખ્યતા કરીને માનવોને શુભ ભાવ-ક્રિયામાં પ્રેરવામાં આવે છે, પણ તેથી પુણ્ય મળે જે સારી ગતિનું કારણ બને, મોક્ષનું સીધું કારણ બનતું નથી. શ્રીમદ્જીએ. અત્રે મોક્ષનું સીધું જ કારણ “સતુના ચરણમાં રહેવું” તેમ બતાવ્યું છે. સત્ મુખ્યતાએ નિજ આત્મસ્વરૂપ છે. જીવાત્મા આત્મસ્વરૂપમાં જેટલો સમય સ્થિતિ કરે તેટલો સમય મોક્ષનો અનુભવ કરેનિરંતરની સ્થિતિ પૂર્ણ મોક્ષનું કારણ બને છે. આ પ્રકારે સાધકને આત્મધર્મનો લક્ષ કરાવી મોક્ષનો સચોટ ઉપાય બતાવ્યો. સદેવ અને સતગુરુ પણ ગૌણતાએ મોક્ષનું કારણ છે. જોકે જપ, તપ આદિનો નિષેધ કર્યો નથી, પણ આત્મલક્ષ પૂર્વક ન થાય તો સફળ નથી તેવી સ્પષ્ટતા પણ કરેલી છે. માનવજીવો ઘણું ખરું બહિરાત્મભાવમાં જ હોય છે, તેને અંતરાત્મદશાનો લક્ષ અત્રે કરાવ્યો છે તે મુમુક્ષુ-સાધકે ખાસ ધ્યાને લેવાનું જરૂરી છે. આ બહુ બહુ મોટો ઉપકાર કર્યો છે. સાધકની યોગ્યતા-પાત્રતા વધવા માટે ઉપાય લખે છે : જગત આત્મારૂપ માનવામાં આવે, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે, પરના દોષ જોવામાં ન આવે; પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે, બીજી રીતે નહીં.” શ્રીમદ્જીએ જીવનો મોટો દોષ-દેહાભિમાન ક્ષય થવા ઉપાય બતાવ્યો : “ભગવતને સર્વ સમર્પણ કર્યા સિવાય આ કાળમાં જીવનું દેહાભિમાન મટવું સંભવતું નથી.” વેદાંત માર્ગમાં અને અન્ય માર્ગમાં પ્રભુભક્તિ માટે આ સુત્ર ઘણું જ પ્રચલિત છે અને ખરેખર જીવનો અહંભાવ છૂટવા માટે ખુબ જ કાર્યકારી છે તે વાતનો શ્રીમદ્જીએ સ્વીકાર કરી તેમ કરવા ભલામણ કરી છે. શ્રીમદ્દજી, નિજ દશા જે સિદ્ધ કરી છે તે વ્યક્ત કરતાં લખે છે : સમયે સમયે અનંતગુણવિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે, જે ઘણું કરીને કળવા દેવામાં આવતી નથી. અથવા કળી શકે તેવાનો પ્રસંગ નથી.” ઇakબે પ્રજ્ઞાબીજ •209 views
SR No.034368
Book TitlePragnabij
Original Sutra AuthorN/A
AuthorMadhubhai Parekh
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2018
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy